જસદણ જૂના રેલવે સ્ટેશન સામે અકસ્માતમાં એક નું મૃત્યુ : પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ - At This Time

જસદણ જૂના રેલવે સ્ટેશન સામે અકસ્માતમાં એક નું મૃત્યુ : પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ


ગિરધરસિંહ ડીંગા જાતે રાવત રાજપુત ધંધો મજુરી રહે સાંદેરાણા ગામ તાલુકો અજમેર રાજ્ય:રાજસ્થાન જેને જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે જસદણ તાલુકાના પોલારપુર ગામની સીમમાં ભરતભાઈ વિઠ્ઠલભાઈ જાદવની વાડીએ કૂવો ખોદવાનું કામ રાખતા જેથી તેના કોન્ટ્રાક્ટર ગોપાલભાઈ શોક સિંહ રાવત તેમના ટ્રેક્ટરમાં મજૂરો સાથે બારેક વાગ્યે નીકળેલ અને તેની પાછળ મોટરસાયકલ લઈને ગિરધર સિંહ નીકળેલ તેઓ જસદણ જુના રેલ્વે સ્ટેશન શનિદેવના મંદિર પાસે બપોરે અઢી વાગ્યાની આસપાસ પહોંચતા સામે સફેદ કલરની કારવાળાએ તેઓના મોટરસાયકલ સાથે ભટકાડી દેતા ગિરધરસિંહને ડાબા પગે તથા જમણા પગે નળાના ભાગમાં નાક ઉપર તથા ગાલ ઉપર નાની મોટી ઈજા થયેલ તેની સાથે જોધસિંહ ને માથામાં જમણી તરફ કપાલની માથા તરફ ઊંડો ઘા પગની ઈજા પહોંચેલ અને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લાવેલ અને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ગિરધરસિંહની ના સાથી જોરું સિંહનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું અને મોટરસાયકલને નુકશાન થતાં કારચાલક વિરુદ્ધ ગિરધર સિંહ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.