ચાલો ઈકો ફ્રેન્ડલી બકરી ઈદ ઉજવીએ - At This Time

ચાલો ઈકો ફ્રેન્ડલી બકરી ઈદ ઉજવીએ


 ઈકો ફ્રેન્ડલી બકરી ઈદ ઉજવીએ

બકરીનું દૂધ મધુર, શીતળ, ઝાડાને રોકનાર અને હલકું છે. તે રક્તપિત્ત, અતિસાર(ડાયેરીયા) ટી.બી., ઉધરસ તથા તાવને મટાડનાર છે. બકરીઓ કદમાં નાની હોય છે. તીખા અને કડવા પદાર્થો ખાય છે. પાણી થોડુ પીએ છે અને પરિશ્રમ (ચાલવું, દોડવું, ઠેકડા મારવા વગેરે) ઘણો કરે છે. તેથી તેનું દૂધ સઘળા રોગોને મટાડનાર છે. તંદુરસ્ત બકરીનું દૂધ વધુ નિરોગી અને નિર્દોષ ગણાય છે. બકરીનું દૂધ જલ્દી પચે છે. તેથી નાના બાળકો માટે તે બહુ અનુકૂળ છે. બકરીનાં દૂધનું ફીણ વાત, પિત્ત અને કફનો નાશ કરનાર, રૂચિ ઉપજાવનાર, બળને વધારનાર જઠારાગ્નિ વધારનાર, મૈથુનશક્તિ વધારનાર, અમ્લપિત્ત (એસીડીટી), જુના તાવ વગેરેમાં લાભદાયક છે. બકરીનું દહીં ઉત્તમ, ઝાડાને રોકનાર, હલકું, ત્રણેય દોષને હણનાર, શ્વાસ, ઉધરસ, ટી.બી. રોગમાં તથા દુબળાપણામાં વખણાય છે. બકરીનું ઘી આંખ અંગે હિતકારી, બળને વધારનાર, શ્વાસ, ટી.બી. ઉધરસ વગેરે પરહિતકારી છે. પાંડુરોગ, અમ્લપિત્ત શોષ, પેટના રોગો, ઝાડા, બળતરા, સોજીમાં બકરીના દૂધનાં ઉપયોગ હિતકાર છે.સ્ત્રીઓને યોનિના રોગો, શુક્ર સંબંધિ રોગો, મૂત્રના વિકારો, મળ ગંઠાઈ ગયા હોય, વાયુ ના વિકારો, પિત્તના વિકારોમાં પણ હિતકારી છે. બકરી સામાન્ય રીતે જે પાલો ખાય છે તેમાં ફેરફાર કરવાથી તેની દૂધની ગુણવત્તામાં ફેરફાર આવશે. રાત્રે પશુ હેરફેર ઓછું કરતું હોવાથી સવારે દોહવાતું દૂધ દિવસ દરમ્યાનના દૂધ કરતાં પચવામાં માર પડે છે.
બકરીનું દૂધ એ કુદરતી રીતે એકરસ અને સરળતાથી તેને જ પચી જાય છે. બકરીનું દૂધ માત્ર વીસ મિનિટમાં જ પચી જાય છે. બકરીના દૂધમાં રહેલા ચરબીના બે માઇક્રોન જેટલા નાના કણોને લીધે એકરસ લાગે છે. રાયબોફલેવિન અને બાયોટીન, પેન્ટોથેનિક એસીડ, વિટામીન ડી અને પોટેશિયમ માટે બકરીનું દૂધ એ ઘણું ઉત્તમ છે. બકરીનું દૂધ ઓછો કોલેસ્ટ્રોલ, વધારે કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન એ, બી ધરાવે છે. બકરીના દૂધ તારા વજનમાં વધારો, લોહીમાં વિટામીન, લોહતત્વોનો વધારો અને શરીરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળેલ છે. બાળકોના દુગ્ધ આહાર માટે બકરીનું દૂધ ખૂબ જ અગત્યતા પ્રતિપાદિત કરેલ છે. બકરીના દૂધનું દહી નરમ છે. દૂધમાંથી સ્વાદિષ્ટ ચીઝ બને છે, જે લોકો ખૂબ પસંદ કરે છે. ઘણા સંશોધન દ્વારા નોંધપાત્ર ઠરેલ છે કે બકરીનું દૂધ એ હૃદય, આંતરડાને તથા ખોરાકની પાચકતા અને પોષણ સંબંધિત રોગોના દર્દીઓની સારવારમાં ખૂબ જ મહત્વનું પૂરવાર થયેલ છે. બકરીઓનું દોહન, સાફ સફાઈ, ચરણમાં લઈ જવી વગેરે માવજતના કામ કૌટુંબિક સભ્યો,સ્ત્રીઓ, બાળકો વગેરે કરતા હોવાથી મજૂરી ખર્ચ ચઢતો નથી. દૂઝણી બકરી દીઠ વાર્ષિક ખર્ચ સરેરાશ રૂ. ૬૦૦-૭૦૦ થાય છે. જ્યારે દૂધ, ખાતર વગેરે મળી અંદાજિત આવક રૂા ૧૩૦૦-૧૫૦૦ થાય છે. આમ બકરી દીઠ ચોખ્ખો નફો રૂ. ન ૭૦૦-૮૦૦ થાય છે.
બકરીના દૂધમાં થી દહી, ચીઝ જેવી બનાવટો બનાવી શકાય છે. શહેરી વિસ્તારના ઉપયોગ માટે માવા, ધી, મસ્કો બનાવવામાં આવે છે. આ દૂધમાંથી સંદેશ નામની વાનગી તથા પનીર પણ સારા બને છે. આ દૂધને ૧૦ થી ૨૫% ની માત્રામાં ભેંસના દૂધ સાથે ભેળવી ચીઝ બનાવવામાં આવે તો સુંદર પ્રકારનું ચીઝ દસ મહિનાને બદલે ચારથી છ મહિનામાં તૈયાર થઈ શકે છે. ભેંસ અને બકરીના દૂધની એકસરખી માત્રાના મિશ્રણથી સુંદર ગુણવત્તાવાળું મોનોરેલા ચીઝ જે પીઝા બનાવવામાં વપરાય છે. તે સારી બની શકે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ નિયમીત બકરીનું દૂધ પીતા અને તેમણે પોતે પણ બકરીના દૂધ પીવાનો સૌને સારો એવો પ્રચાર-પ્રસાર કર્યો હતો.
ચાલો બકરી બચાવીએ, ઇકો ફ્રેન્ડલી બકરી ઈદ ઉજવીએ.

 

                                                           રમેશભાઈ ઠક્કર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.