અયોધ્યા માં રામ જન્મ ભૂમિ પર મંદિર નિર્માણ પામ્યું જેમાં ભગવાન શ્રી રામ ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમદાવાદ એક ખાસ આયોજન કરવામાં આવ્યું - At This Time

અયોધ્યા માં રામ જન્મ ભૂમિ પર મંદિર નિર્માણ પામ્યું જેમાં ભગવાન શ્રી રામ ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમદાવાદ એક ખાસ આયોજન કરવામાં આવ્યું


તા:-૨૨/૦૧/૨૦૨૪
અમદાવાદ

આજ રોજ બપોરે ૧-૩૦ વાગે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગાયત્રી હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ,કિરણ પાર્ક,નવા વાડજ અમદાવાદ ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નવા વાડજ-નારણપુરાવિસ્તારના ધર્મ પ્રેમી શ્રદ્ધાળુઓના લાભાર્થે અમદાવાદ એમ્બ્યુલન્સ મિત્ર મંડળ,જાયન્ટસ્ મેડિકલ સ્ટાફ,ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સહયોગથી કરવામાં આવ્યું હતું જેનો ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા દિપ પ્રાગટ્ય,પ્રાર્થના,પૂજા કરી ગાયત્રી યજ્ઞનો શુભારંભ થયો હતો જેમાં ગાયત્રી મંત્રોચ્ચાર, મહા મૃત્યુંજયમંત્ર,શ્રીરામજી મંત્ર,સીતાજી,હનુમાનજી મંત્ર તથા અન્ય વૈદિક મંત્રોની આહુતિઓ આપવામાં આવી હતી ૪-૦૦ વાગે આરતી તથા પૂર્ણાહુતિ,ગાયત્રી ચાલીસા પાઠ, હનુમાન ચાલીસા પાઠ અને ધોરણ દસ અને બાર ની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને સફળતા માટે શુભ કામના આશીર્વાદ પાઠવ્યા બાદ પૂજા અર્ચના કરેલી બોલ પેન,સરસ્વતી યંત્રવાળું ગાયત્રીચાલીસા કાર્ડ પ્રસાદમાં આપવામાં આવ્યું હતું વ્યસન મુક્તિ આંદોલન કાર્યક્રમના ભાગરૂપે પ્રદર્શન જોઈ વ્યસન મુક્તિની પ્રેરણા આપી હતી તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, જાયન્ટસ્ મેડિકલ સ્ટાફ ગાયત્રી પરિવારના સભ્યો,અગ્રઞણીઓ ઉપસ્થિત રહ્યા હતાં

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.