ધોળકા માં એકજ પરિવાર માં ચાર લોકોએ ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કાર્યો બે ના મોત - At This Time

ધોળકા માં એકજ પરિવાર માં ચાર લોકોએ ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કાર્યો બે ના મોત


પિતા અને મોટા પુત્ર ના કરૂણ મોત નિપજયા હતા
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં આપઘાત ના બનાવો વધી રહ્યા છે ત્યારે ધોળકા શહેર માં આવેલ કલિકુંડ વિસ્તારની રામદેવનગર સોસાયટીમાં માં છેલ્લા પંદરેક વર્ષથી મૂળ મહેસાણા જિલ્લા ના વતની કિરણભાઈ ગલાભાઇ રાઠોડ , નીતાબેન કિરણભાઈ રાઠોડ,હર્ષ કિરણભાઈ રાઠોડ ઉવ ૨૬ અને હિરેનભાઈ કિરણભાઈ રાઠોડ ઉવ ૨૧ નાઓ એ એક સાથે પરિવારે કપાસ માં નાખવામાં આવતી ઝેરી દવા પી ને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પિતા કિરણભાઈ રાઠોડ અને મોટો પુત્ર હર્ષ કિરણભાઈ રાઠોડ નું કરૂણ મોત નીપજ્યા હતા જ્યારે માતા નિતાબેન રાઠોડ અને નાનો પુત્ર હિરેન રાઠોડ ગંભીર હાલતમાં ધોળકા ની સરણમ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે
બનાવ ને લઇ મોટી સંખ્યા મા લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ધોળકા પોલિસ ને બનાવની જાણ થતાં સ્થળઃ પર પહોંચી દવા ની બોટલ ,સહિત નો કબ્જો લઈ વધુ તાપસ હાથ ધરી છે લોકો દ્વારા મળતી માહિતી મુજબ કિરણભાઈ રાઠોડ ની પુત્રી પાયલ રાઠોડ એ તેમની નજીક રહેતા રામદેવ નગર પાસે રહેતા એક યુવાન સાથે પ્રેમ લગ્ન કરી લીધાં છે જેને લઇ આ પગલું ભર્યું હોવાનું મનાઇ રહ્યુ છે
કિરણભાઈ રાઠોડ ધોળકા ના કોઠ ગામે જીઇબીમાં લાઈન મેન તરિકે ફરજ બજાવતા હતા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.