કાલે ડો. ભરત બોઘરાનો ૪૫મો જન્મદિનઃ આટકોટમાં મહારકતદાન કેમ્પ - At This Time

કાલે ડો. ભરત બોઘરાનો ૪૫મો જન્મદિનઃ આટકોટમાં મહારકતદાન કેમ્પ


કાલે ડો. ભરત બોઘરાનો ૪૫મો જન્મદિનઃ આટકોટમાં મહારકતદાન કેમ્પ

આટકોટ માં હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી ડો. ભરતભાઇ બોઘરાના ૪૫માં જન્મદિન નિમિત્તે કે જેઓ તાજેતરમાં જ સ્વામિનારાયણ ગુરૂકુલમાં ભણેલા છે. ૨૦૦ બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરેલ છે. શ્રીમદ્ રાજચંદ્ર સેવાગ્રુપ તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાના સહયોગથી તા. ૨૨ બુધવાર, સવારે ૮થી ૧ વાગ્યા સુધી, કે. ડી. પરવાડિયા હોસ્પિટલ, ઘનશ્યામનગર, આર. બી. હાઇવે, આટકોટ, જસદણ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ડો. ભરતભાઇ બોઘરાની ૧૨. ૩૯ કલાકે રકતતુલા કરવામાં આવશે. આ કેમ્પમાં ડો. ભરતભાઇ બોઘરા (પ્રદેશ ઉપાધ્યક્ષ, ભાજપ ગુજરાત), શ્રીમદ્ રાજચંદ્ર સેવાગ્રુપના શ્રી વિનય જસાણી (૯૪૨૮૨ ૦૦૬૬૦), શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થાન રાજકોટ તથા સિવિલ બ્લડબેંકના એમ. ડી. પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ્ સેવા આપશે.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.