સંતરામપુર તાલુકાના આંજળવા ગામે એક પરિણીત 22 વર્ષની મહિલાએ પોતાના સાસરી ગામે ધરે ફાંસી ખાઈ જીવન ટુંકાવ્યું તેવી આશંકા. - At This Time

સંતરામપુર તાલુકાના આંજળવા ગામે એક પરિણીત 22 વર્ષની મહિલાએ પોતાના સાસરી ગામે ધરે ફાંસી ખાઈ જીવન ટુંકાવ્યું તેવી આશંકા.


સંતરામપુર તાલુકાના આંજળવા ગામે એક પરિણીત 22 વર્ષની મહિલાએ પોતાના સાસરી ગામે ધરે ફાંસી ખાઈ જીવન ટુંકાવ્યું.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર તાલુકાના આજળવા ગામે એક પરિણીત 22 વર્ષની મહિલાએ પોતાના સાસરી ગામે ધરે ફાંસી ખાઈ જીવન ટુંકાવ્યું છે. તેની ઘટના સામે આવી છે. જેમાં સુત્રો દ્વારા વધુમાં જાણવા મળેલ છે કે આ ઉષાબેન ભોઈ મહિસાગર જિલ્લાના બાલાસિનોર ગામના રહેવાસી છે. અને તેઓનું લગન સંતરામપુર તાલુકાના આજળવા ગામે હાર્દીકભાઈ ભોઈ સાથે કરેલ છે. અને તેઓના પત્ની ઉષાબેન ભોઈ 16 જાન્યુઆરી 2024 ના રોજ સાસરીના ઘરે ફાંસી ખાઈ જીવન ટુંકાવ્યું છે. અને તેની જાણ ગામજનો દ્વારા આ છોકરીના પિતા ને બનાવ વિશે જાણ કરતા તેઓ પોતાના પરિવારજનોને જાણ કરી તાત્કાલીક પરીવારના સભ્યો સાથે આજળવા ગામે આવી ગયેલ હતા.અને બનાવ વિશે સંતરામપુર પોલીસ ને જાણ કરતા સંતરામપુર પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ હતી.
અને આ બાબતે આ પરિણીત મહિલા ની ડેડ બોડી ને પોસ્ટમોર્ટમ માટે સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતી. અને આ બાબતે વધુ આગળની તપાસ હાથ ઘરી છે.
જેમાં વધુમા પરિવાર ના એક સભ્યોએ જણાવેલ હતું કે આ અમારા બેન જેવો પોતાના સાસરીમાં ફાંસી ખાઈ જીવન ટુંકાવ્યું છે. તે કોઈની સાજીસ હોય તેવું અમને લાગી રહેલ છે. કારણ કે કોઇ વ્યક્તિ કઈ કારણ સર આત્મહત્યા કરે તો ગળે વળે નિશાન હોય પરંતુ અમારી આ બહેન ના તો ગળેવળે આગળ પાછળ નિશાન છે. અને ખાસ ગાલના ભાગે કોઈ વ્યક્તિએ બચકા ભળ્યા હોય અને છાતીના નીચા ભાગે લાલ કલરના કોઇ નિશાન છે. તો પછી અમારે શુ સમજવું તે એક ખાસ પ્રશ્ન છે. અને અમને શંકા અને અશુંકા છે .
જેથી આ બાબતે અમારી પ્રશાસન ને એટલીજ માંગણી છે કે આ બનાવ વિશે તટસ્થ તપાસ થાય અને કોઈ ગુનેગાર નીકળે તો કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવે અને સાથે અમારી દિકરી ને ન્યાય મળે તેવી અમારી લાગણી અને માંગણી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.