રાજકોટમાં 13 વર્ષના બંગાળી તરૂણનો ફાંસો ખાઈ આપઘાત - At This Time

રાજકોટમાં 13 વર્ષના બંગાળી તરૂણનો ફાંસો ખાઈ આપઘાત


નાના-નાના ફૂલ જેવા બાળકો પણ હવે પોતાની જીદ પુરી ન થાય તો ઝીંદગીનો અંત આણતા ખચકાતા નથી. ત્યારે રાજકોટમાં વધું એક 13 વર્ષના બાળકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રામનાથપરા વિસ્તારમાં રહેતો 13 વર્ષીય સાબિર શેખ નામના બાળકે ગઈકાલે પોતાના ઘરે જીદ્દી સ્વભાવના કારણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવતાં એ. ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટમાં રામનાથપરા વિસ્તારમાં ભવાનીનગર શેરી નં.2 માં રહેતો સાબિર આમીનભાઈ શેખ (ઉ.વ.13) નામના બાળકે પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં બાળકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં એ. ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ લાભુભાઈ જતાપરા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર, મૃતકનો પરિવાર મૂળ બંગાળનો વતની છે અને તેઓ ઘણાં સમયથી રાજકોટમાં રહે છે. તેમજ મૃતકના પિતા નાસ્તાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારજનોએ જણાવ્યું કે, સાબિર જીદ્દી સ્વભાવનો હતો.
ગઈકાલે તેમની મોટી બહેન માટે સગપણ નક્કી કરવા તેઓ પરિવાર સાથે મોરબી રોડ પર ગયા હતાં ત્યાંથી તે વહેલો ઘરે આવી ગયો હતો અને પોતાના જીદ્દી સ્વભાવના કારણે અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવની કરૂણતા એ હતી કે, મૃતક ત્રણ બહેનોનો એક નો એક ભાઈ હતો. બનાવથી બંગાળી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.