બાલાસિનોર બસ સ્ટેશન પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, ઘટનાસ્થળે 3 લોકોનાં મૃત્યુ - At This Time

બાલાસિનોર બસ સ્ટેશન પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, ઘટનાસ્થળે 3 લોકોનાં મૃત્યુ


બાલાસિનોર બસ સ્ટેશન નજીક શનિવારે ઢળતી બપો૨ે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝાલોદના ઘેરકાથી અમદાવાદ જવા નીકળેલી પરિવાર આગળ જતી ટ્રકને ઓવરટેક કરવા જતા ટ્રકના પૈડા નીચે આખો પરિવાર આવી જતા કમકમાટી ભર્યા મોત નીપજ્યું હતું. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો બાલાસિનોર બસ સ્ટેશન પાસેના બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી શનિવાર ઢળતી સાંજે એક ટ્રક પસાર થઇ રહી હતી. તે સમયે ઝાલોદ તાલુકાના થેરકાથી વિનોદ વખલાભાઈ સંઘાડા ઉં.વ. 32, પત્ની વનીતાબેન સંઘાડા ઉં.30, અને દીકરો યાન સંઘાડા ઉં.3 બાઇક પર જઇ રહ્યા હતા. તે સમયે આગળ જતી ટ્રકને ઓવરટેક
કરવા જતાં બાઇક ટ્રકના પાછળના પેડાં નીચે આવી જતા દંપતી અને બાળકને ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરતાં પોલીસ ટી એશમે બનાવ સ્થળે દોડી આવી મૃતકોના મૃતદેહને બાલાસિનોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતા. જ્યારે ટ્રકના ચાલક વિરુદ્ધ સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.