ખેડબ્રહ્મા ખાતે જિલ્લાકક્ષાનો “૭૩મો વન મહોત્સવ” મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ઉજવાશે - At This Time

ખેડબ્રહ્મા ખાતે જિલ્લાકક્ષાનો “૭૩મો વન મહોત્સવ” મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ઉજવાશે


ખેડબ્રહ્મા ખાતે જિલ્લાકક્ષાનો “૭૩મો વન મહોત્સવ” મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ઉજવાશે

સાબરકાંઠા જિલ્લાકક્ષાનો “૭૩મો વન મહોત્સવ” મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ઉજવાશે.
ખેડબ્રહ્માના આર્ડેકતા કોલેજ ખાતે તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૨ શુક્રવાર સવારે ૯:૩૦ કલાકે “૭૩મા વન મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં જિલ્લા સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ,રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ,ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઇડર ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડીયા તેમજ GEMI નિયામકશ્રી એ.કે ઝાલા,જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એસ.શાહ ઉપસ્થિત રહેશે.એમ સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક શ્રી એસ.ડી.પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.