મગોડી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે નિવૃત ગણિત શિક્ષકશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/w6iwbeqrzrr6yms8/" left="-10"]

મગોડી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે નિવૃત ગણિત શિક્ષકશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો


ગાંધીનગર જિલ્લાના મગોડી ખાતે ધોરણ ૧૦ ના ગણિત વિષયની ઉત્તરવહીઓનું મધ્યસ્થ મૂલ્યાંકન કાર્ય ચાલી રહ્યું છે. જીલ્લાના ૧૬૦ ગણિત શિક્ષક ભાઈ-બહેનો આ કામગીરીમાં જોડાયેલા છે. પી. આર. ઠક્કર વિદ્યાવિહાર, મગોડી ના આચાર્યશ્રી મનુભાઈ પ્રજાપતિની અભિપ્રેરક ઉપસ્થિતિમાં ચાલુ વર્ષે વય નિવૃત થતાં પાંચ સારસ્વતશ્રીઓને આજરોજ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગણિત વિષયના તજજ્ઞ પરીક્ષક મિત્રો, સમીક્ષકશ્રીઓ અને સંયોજકશ્રીઓ તરફથી એમને સમૃદ્ધ શેષજીવનની શુભેચ્છાઓ પાઠવી આપવામાં આવી હતી. નિવૃત્ત થતાં શિક્ષકો સર્વે શ્રી અજયભાઈ વ્યાસ (નારદીપુર), શ્રી રમેશભાઈ ચૌધરી (માણેકપૂર), શ્રી ચેતનભાઈ શાહ (દહેગામ), શ્રી દીપકભાઈ પરમાર (કલોલ) અને શ્રી ગોવિંદભાઈ ગેલોત (ડભોડા) ને શ્રીફળ - સાકર-સ્મૃતિ ભેટ અર્પણ કરી શાલ ઓઢાડી અભિવાદિત પણ કરવામાં આવ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]