શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે શનિવાર નિમિતે - At This Time

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે શનિવાર નિમિતે


તા. ૧૬-0૭-૨૦૨૨ ના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને મોગરાના ફૂલોના દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે ૫.૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ એવં દાદાના સિંહાસનને પણ ગુલાબ,મોગરાના ફૂલો વડે શણગાર કરવામાં આવેલ એવં સવારે 7:00 કલાકે શણગાર આરતી પ.પૂ.શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી-(વડતાલ) દ્વારા કરવામાં આવેલ તથા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ, જેનો હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ Salangpur Hanumanji - Official યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.