મહિનાના પ્રથમ રવિવારે બોટાદમાં પુસ્તક પરબ યોજાયું - At This Time

મહિનાના પ્રથમ રવિવારે બોટાદમાં પુસ્તક પરબ યોજાયું


મહિનાના પ્રથમ રવિવારે બોટાદમાં પુસ્તક પરબ યોજાયું

માતૃભાષા અભિયાન અને શ્રી તખ્તસિંહજી જાહેર વાચનાલયના સહયોગથી પ્રથમ રવિવારે ૭ એપ્રિલના રોજ સવારે 9:00 થી 11:00 કલાકે પુસ્તક પરબનું આયોજન વડીલોનો વિસામો તખ્તસિંહજી જાહેર વાચનાલય,નદી કિનારે,પાળિયાદ રોડ-બોટાદમાં યોજાયું હતું.જેમાં ભૂમિકા ડોડિયા,ચાંદની રોજેસરા,રીનુ ચાવડ,કુલદીપ વસાણી,હિતેશ છાયા,રત્નાકર નાંગર વગેરે સાહિત્ય રસિક મિત્રોએ દીપ પ્રાગટ્ય કરી પુસ્તક પરબનો શુભારંભ કર્યો. પુસ્તક પરબના કાર્યવાહક પારસ જી. ઓગાણિયા, બટુક રવૈયા, રાજેશ શાહ, જયેશ પરમાર અને સમગ્ર વ્યવસ્થા સમર્પણ ગૃપના બાળકો દ્વારા સંભાળવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.