મોરબીના સનહાર્ટ ગ્રુપ દ્વારા અમદાવાદના સરદાર ધામ માટે રૂપિયા પાંચ કરોડનું અનુદાન જાહેર - At This Time

મોરબીના સનહાર્ટ ગ્રુપ દ્વારા અમદાવાદના સરદાર ધામ માટે રૂપિયા પાંચ કરોડનું અનુદાન જાહેર


મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપ દ્વારા અમદાવાદના સરદાર ધામ માટે રૂપિયા પાંચ કરોડનું અનુદાન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સરદાર ધામ દ્વારા ઉદ્યોગકાર ગોવિંદભાઈ વરમોરા નું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આવેલા સરદાર ધામ ખાતે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે 76 માં સ્વતંત્ર દિનની ઉજવણીના શુભ અવસર પર સરદાર ધામની વૈચારિક યાત્રામાં મોરબીના અગ્રણી ઉદ્યોગકાર ગોવિંદભાઈ વરમોરા, ભુદરભાઈ વરમોરા ,જગદીશભાઈ વરમોરા ,હાર્દિકભાઈ વરમોરા નાઓ એ રૂપિયા એક કરોડના દાતા માંથી વધારે રૂપિયા 4 કરોડ લખાવીને કુલ રૂપિયા પાંચ કરોડના ગૌરવવાંતા ભામાશા તરીકે જોડાયા છે. ઉલ્લેખનીય છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ ના સૂત્રને વળગી સમસ્ત પાટીદાર સમાજના હેત માટે કાર્યરત સરદાર ધામ સાથે મોરબીના પાટીદાર રત્ન અને સામાજિક આગેવાન ગોવિંદભાઈ પટેલ છેલ્લા 12 વર્ષથી જોડાયેલા છે ત્યારે આર્થિક યોગદાન બદલ ટીમ સરદાર ધામ અને સમગ્ર ટ્રસ્ટીગણ એ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.