સાણંદમાં કાલુપુર બેંક શાખાના 44માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો - At This Time

સાણંદમાં કાલુપુર બેંક શાખાના 44માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


અમદાવાદના સાણંદમાં કાલુપુર બેંક બેન્કિંગ પ્રવૃત્તિઓની સાથે સાથે સૌના સાથ સહકારથી સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે રક્તદાન અંગે જનજાગૃતિ જળવાઈ રહે અને જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત મળી રહે તે ઉમદા હેતુથી કાલુપુર બેંકની સાણંદ શાખાએ 44 માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,અમદાવાદ જિલ્લાના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં અતિથિ વિશેષ ટીકુભાઈ ભગવાનદાસ પટેલ, ડીવાયએસપી નીલમબેન ગૌસ્વામી, સાણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ પટેલ (શાકવાળા) તથા પૂર્વ ઉપપ્રમુખ રઘુવીરસિંહ ભાવુભા વાઘેલા હાજર રહ્યા હતા. જૈન મુનિ શ્રી ચેતન મુનિ મહારાજ સાહેબે સદર પ્રસંગે આશીર્વચન આપી માંગલિક ફરમાવેલ.

સમસ્ત રાઈસ મીલ એસોસિએશનના અગ્રણીઓ, કડવા પાટીદાર સમાજના મુરબ્બીઓ તથા જૈન સમાજના અગ્રણીઓએ ઉત્સાહભર ભાગ લઈ કાર્યક્રમની ગરિમા વધારેલ તેમજ બેંકના ચેરમેન નવનીતભાઈ પટેલ તથા પૂર્વ ડિરેક્ટર હસમુખભાઈ અને સાણંદ શાખાના કમિટી સભ્યોએ સાણંદ શાખાના વિકાસમાં સહયોગ આપવા અને વેપારી/ગ્રાહકોના સૂચનો સાંભળીને શાખા મેનેજર વૈભવભાઈ શાહને ઉત્તમ સેવા અને સહકાર આપવા માર્ગદર્શન આપેલ તેમજ બ્લડ ડોનેશન કેમ્પના કોર્ડીનેટર બીરેનભાઈ પરીખે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરીને પ્રસંગની શોભામાં વધારો કરેલ હતો.

*..✍🏻 બ્યુરો રિપોર્ટ ફઝલખાન પઠાણ એટ ધીસ ટાઇમ ન્યુઝ સાણંદ અમદાવાદ..📹*


9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.