વિરપુર તાલુકાના નવાપુરા પાસે કેનાલના ગેટ પાસેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો.... - At This Time

વિરપુર તાલુકાના નવાપુરા પાસે કેનાલના ગેટ પાસેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો….


મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ધોરાવાડા ગામથી પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલમાં ધોરણ પાંચમા ભણતી બાળકી પશુ ચરાવી ઘરે પરત ફરતી કેનાલમાં બાળકીનો પગ લપસી જતાં કેનાલમાં ડૂબી જતા લાપતા થઇ ગઇ હતી સ્થાનિક તરવૈયાઓ,ફાયર વિભાગ અને વિરપુર પોલીસની ઘનિષ્ઠ શોધખોળ બાદ રવીવારના રોજ બાળકીનો મૃતદેહ કેનાલમાંથી મળી આવતા પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો ત્યારે મળતી વિગતો અનુસાર તાલુકાના ધોરાવાડા ગામથી પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલ પાસે પાંચમા ધોરણમાં ભણતી કલ્પના ભીખાભાઈ નટ વતની બાબલીયા તા-ખાનપુર જી- મહિસાગર હાલ રહે વિરપુરના જમિયતપુરા જેઓ શનીવારના રોજ ચાર વાગ્યાની આસપાસ બકરા ચરાવી કેનાલ પરથી ઘર તરફ જતી હતી તે સમયે કલ્પનાનો પગ આકસ્મિક રીતે લપસી જતાં કેનાલમાં ગરકાવ થઈ ગઈ હતી જોકે ઘટનાની જાણ સ્થાનિકોને થતાં વિરપુર પોલીસને જાણ કરાઈ હતી ત્યારે વિરપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી ફાયર વિભાગ સહિતના સ્થાનીક તરવૈયાઓ કામે લગાડી દીધા હતા મોડી સાંજ સુધી કલ્પનાનો કોઈજ ભાણ મળી નહોતી પણ રવિવારના રોજ વિરપુરના નવાપુરા પાસેના કેનાલના ગેટ પાસે સ્થાનીકો જોતા લાશ જેવું લાગતા પોલીસને જાણ કરાઈ હતી પોલીસ અને સ્થાનિકો દ્વારા મૃતદેહને બહાર કાઢતા મૃતદેહ કલ્પનાનો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે પરીવારને જાણ કરતા પરીવાર સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ પર દિકરીના મૃતદેહ જોઈ રોકકળ મચાવી દીધી હતી જોકે વિરપુર પોલીસે મૃતદેહનો કબજો મેળવી વિરપુર સરકાર હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યું હતું....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.