S.M.V.S. સ્વામિનારાયણ મંદિર બોરીયાવી ખાતે સ્વામિનારાયણ મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ તેમજ શાકોત્સવ પૂજ્ય સંતો તેમજ હરિભક્તો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો ઉજવાયો - At This Time

S.M.V.S. સ્વામિનારાયણ મંદિર બોરીયાવી ખાતે સ્વામિનારાયણ મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ તેમજ શાકોત્સવ પૂજ્ય સંતો તેમજ હરિભક્તો દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો ઉજવાયો


પંચમહાલ શહેરા

આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માંથી મોટી સંખ્યામાં પુરુષ હરીભક્તો તેમજ મહિલાઓ એ. મંદિર નો પ્રથમ વાર્ષિક પાટોત્સવ તેમજ શાકોત્સવ નો લાભ લીધો હતો

મંદિરનો પ્રથમ પાટોત્સવ તેમજ સાકોત્સવ નિમિત્તે મહારાજ અને મોટા પુરુષને રાજી કરવા માટે બોરીયાવી મંદિર ખાતે રીંગણ નું શાક તેમજ મકાઈ બાજરીના રોટલા તેમજ ગોળ અને ઘી તેમજ ખીચડી કઢી સ્વામિનારાયણ ભગવાનને થાળ જમાડી અને ભગવાનની પ્રસાદી નો હરિભક્તોએ લાભ લીધો હતો

સ્વામિનારાયણ ભગવાને સામૈયા ઉત્સવો કર્યા છે

મુમુક્ષ જીવોના મોક્ષ માટે કોઈ દર્શન કરે. કોઈ સેવા કરે. કોઈ ગુણ ગ્રહણ કરે. તેનો મોક્ષ થાય. તે નિમિત્તે તારીખ 12-12-2022 ને સોમવાર ના રોજ રાત્રે શહેરા તાલુકાના બોરીયાવી ગામે એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે. પ્રથમ વાર્ષિક પાટોત્સવ તેમજ શાકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી પરમ પૂજ્ય સ્વામી શ્રી ના આશીર્વાદ અને રાજીપા થી શહેરા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો

ત્યારબાદ. પૂજ્ય આજ્ઞા સ્વામી દ્વારા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પધારેલા મોટી સંખ્યામાં હરિભક્તોને કથા વાર્તાનો લાભ આપવામાં આવ્યો હતો

તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા મહાપ્રસાદી લઈ મંદિર ખાતે પાટોત્સવ તેમજ શાક ઉત્સવ
ની મજા માણી હતી

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.