રાજકોટમાં રાધેક્રિષ્ના સોસાયટીમાં મકાન ખાલી કરવા કારખાનેદારની હત્યા કરનાર ભૂરો નાટકીય રીતે પોલીસ સમક્ષ હાજર
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ રાધેક્રિષ્ના સોસાયટીમાં ઉદ્યોગપતિની હત્યાકેસમાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે ભૂરો સોસાએ સીઆઇડી ક્રાઇમ સમક્ષ સરેન્ડર કરી દીધું છે. સોસાયટીમાં ઘર-જમીન ખાલી કરાવવા આરોપીઓએ માથાકૂટ કરી મારામારી કરતા સોસાયટીમાં રહેતા કારખાનેદાર અવિનાશભાઈ કુરજીભાઈ ધુલેશીયાને માથામાં પથ્થર ઝીંકી મોતને ઘાટ ઉતારેલ. આ ગુનામાં ભરત સોસા ઉર્ફે ભૂરો લાંબા સમયથી ફરાર હતો જે આજે પોલીસ સમક્ષ સરેન્ડર થયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]