મહીસાગર જિલ્લાના તલાટી મંડળના પ્રમુખ તરીકે પ્રદીપસિંહ રણા ની બિનહરીફ વરણી - At This Time

મહીસાગર જિલ્લાના તલાટી મંડળના પ્રમુખ તરીકે પ્રદીપસિંહ રણા ની બિનહરીફ વરણી


મહીસાગર જિલ્લા તલાટી મંડળની જનરલ સભા લુણાવાડા ખાતે એક હોટલ ભરવા માં આવી હતી તેમાં લુણાવાડા ખાનપુર કડાણા વીરપુર સંતરામપુર બાલાસિનોર તાલુકાના ના તલાટીમંડળ ના હોદ્દેદારો ની ઉપસ્થિતિ માં ગુરુવારે લુણાવાડા ખાતે આવેલા એક હોટલ ના હોલમાં મળી હતી. જિલ્લા તલાટી મંડળના પ્રમુખ તરીકે લુણાવાડા તાલુકા ની ડોકેલાવ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા પ્રદીપ સિંહ રણા ના નામની સર્વાનુમતે દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેનો તમામ ઉપસ્થિત તલાટી મિત્રોએ આવકારીને મહીસાગર જિલ્લા તલાટી મંડળના પ્રમુખ તરીકે પ્રદીપસિંહ રણા તેમજ મહામંત્રી તરીકે લુણાવાડા તાલુકાના ઉચરપી ના તલાટી સતિષભાઈ પટેલ ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરી હતી. તેમજ ઉપપ્રમુખ તરીકે વીરપુર તાલુકાના તલાટી નરેશભાઈ પટેલની પણ બિન હરીફ વરણી કરવામાં આવી હતીબીજા કુલ 24 હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી

તલાટી મંડળની બેઠકમાં ઉપસ્થિત તમામ તલાટી મિત્રોએ નવનિયુકત પ્રમુખ અને મહામંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તલાટી મિત્રો એ જણાવ્યુ હતું કે જિલ્લાના તલાટીઓના પડતર પ્રશ્નો હોય કે ગ્રામ પંચાયત કક્ષાએ ઉભી થતી નાની મોટી સમસ્યા ઉકેલવા તલાટી મિત્રો સાથે સતત સંપર્ક ધરાવતા પ્રદીપસિંહ રણા ની બિનહરીફ વરણી થતા ગુજરાત તલાટી મંડળના હોદે્દારોએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. મહીસાગર જિલ્લાના તલાટી મંડળના પ્રમુખ તરીકે પ્રદીપ સિંહ રણા અને મહામંત્રી સતીશ પટેલ બિનહરીફ વરણી થયેલ હોદ્દેદારો નજરે પડે છે


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.