બરવાળા ના કંસારા શેરી ખાતે ગણપતી મહોત્સવ નું અનેરું આયોજન - At This Time

બરવાળા ના કંસારા શેરી ખાતે ગણપતી મહોત્સવ નું અનેરું આયોજન


સમગ્ર દેશભરમાં અને રાજ્ય માં ગણપતિ ઉત્સવ ની આસ્થા ભેર ઉજવણી થઇ રહી છે..
ગત બે ત્રણ વર્ષ કોરોના મહામારી ને કારણે મોટાભાગ ના ઉત્સવ ની ઉજવણી બંધ રાખવી પડી હતી પરંતુ આ વર્ષે લોકો વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપા નો ઉત્સવ ધામધૂમ થી ઉજવી રહ્યા છે.. સમગ્ર બરવાળા નગર માં પણ ગણપતિ ઉત્સવ ની ધામધૂમ થી ઉજવણી થઈ રહી છે બરવાળા કંસારા શેરી માં પણ કંસારા શેરી યુવક મંડળ દ્વારા ભવ્ય ગણપતિ ઉત્સવ નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે..આજ રોજ ગણપતિ ઉત્સવ માં હાજરી આપી દેશ રાજ્ય અને બરવાળા નગર ના લોકો ની સુખાકારી અને શાંતિ માટે ગણપતિબાપા ની આરતી કરી અને સૌની સુખાકારી માટે આશીર્વાદ માંગ્યા.
આ માં ખુબજ મોટી સંખ્યા માં ભાઈઓ બહેનો અને યુવાનો જોડાયા હતા
જ્યારે આજ રોજ અનકોટ દર્શન નું પણ આયોજન કરવા માં આવ્યું હતું.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.