માળીયા હાટીના તાલુકાના રામવાવ પાટીયા પાસે શ્રી વિર હઠીલા હનુમાનજી મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ મહાયજ્ઞ યોજાશે - At This Time

માળીયા હાટીના તાલુકાના રામવાવ પાટીયા પાસે શ્રી વિર હઠીલા હનુમાનજી મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ મહાયજ્ઞ યોજાશે


માળીયા હાટીના તાલુકાના રામવાવ જૂથળના પાટીયા પાસે શ્રી વિર હઠીલા હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રીજી દીપકભાઈ મહેતા (જૂથળ વાળા ) દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક વિધિ દ્વારા 24/2/23 થી 26/2/24 કુલ 3 દિવસ સુધી મહાયજ્ઞ અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે

તા 24/2/24 ના રોજ સવારે 7 કલાકે જૂથળ રામ મંદિરે થી રામવાવ શ્રી વિર હઠીલા હનુમાનજી મંદિર સુધી મૂર્તિની નગર યાત્રા યોજાશે

તા.25/4/24 ના રોજ મહાપ્રધાન હોમ તેમજ વિશ્વશાંતિ યજ્ઞ યોજાશે

તા 26/4/24 ના રોજ સવારે 11/30 કલાકે મહાયજ્ઞનું બીડુ હોમાસે ત્યાર બાદ 12/30 કલાકે મૂર્તિને તિર લગ્ન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યાર બાદ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે

આ ભગીરથ કાર્યમાં માળીયા હાટીના તાલુકા તેમજ આજુબાજુના તાલુકાની ધર્મપ્રેમી જનતાને પધારવા રાજનભાઈ કક્કડ, બાલુભાઈ કાગડા, સેજાભાઈ રબારીની યાદી જણાવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.