ધનસુરા ગોકુલનાથજી મંદિરે મહાપ્રભુજી નો 547 મો પ્રાગટય દિવસ ની ધામધૂમ ઉજવણી કરવામાં આવી. - At This Time

ધનસુરા ગોકુલનાથજી મંદિરે મહાપ્રભુજી નો 547 મો પ્રાગટય દિવસ ની ધામધૂમ ઉજવણી કરવામાં આવી.


અખંડ ભુમંડલાચાર્ય જગદગુરુ મહાપ્રભુજી ના 547 મા પ્રાગટય મહોત્સવ ધનસુરા ગોકુલનાથજી મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં મંદિર પરિસર મા સમસ્ત વૈષ્ણવ સમુદાય મોટી સંખ્યામા વહેલી સવાર દર્શન મંગળા.કેસર સ્નાન. સણગાર. રાજભોગ માટે થી જોડાયો હતો મહાપ્રભુજી ના પ્રાગટય શુભ દીવસે સાંજ ના ઠાકોરજી ને વાજતે ગાજતે બગી મા બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રા મંદિર થી ડીજે ના તાલે નિકળી જેમા મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજ રંગબેરંગી વસ્ત્રો સાથે ભજન કિર્તન સાથે શોભાયાત્રા ચાર રસ્તા થિ બસ સ્ટેન્ડ ના રૂટે નિજ મંદિરે પરત આવી હતી.પ્રાગટય દિવસ ના મનોરથી સ્વ. નવનીતલાલ. બી. શાહ પરીવાર તરફ થી સમગ્ર વૈષ્ણવો ને પ્રસાદ આયોજન કરાયુ હતું. ગોકુલનાથજી મંદિર ના હોદ્દેદારો ટ્રસ્ટીઓ સાથે મંદિર ના મુખ્યાજી સાથે સમગ્ર વૈષ્ણવ સમાજે 547 પ્રાગટય દિવસ નું સુંદર આયોજન કરી મહાપ્રભુજી નો પ્રાગટય દિવસ ની ઉજવણી કરી હતી.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.