ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટે પોતાની બુદ્ધિમત્તાથી સિંહનો જીવ બચાવ્યો ડીવીજન મેનેજર દ્વારા લોક પાયલટ ને સન્માનિત કર્યા - At This Time

ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટે પોતાની બુદ્ધિમત્તાથી સિંહનો જીવ બચાવ્યો ડીવીજન મેનેજર દ્વારા લોક પાયલટ ને સન્માનિત કર્યા


ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટે પોતાની બુદ્ધિમત્તાથી સિંહનો જીવ બચાવ્યો ભાવનગર રેલ્વે મંડલ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડલની સૂચના મુજબ, માલગાડીઓનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે.
ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, 20 એપ્રિલ, 2024 (શનિવાર) ના રોજ, રેલવે કર્મચારી શ્રી વિજય મેર (લોકો પાયલટ) માલગાડ઼ી નંબર PPSP CKYR પર કામ કરતી વખતે, સાંજે 06:55 વાગ્યે, કિ.મી. 21/1-21/2, પીપાવાવ-રાજુલા સેક્શનની વચ્ચે અચાનક સિંહને ટ્રેક પર આવતો જોઈને તેણે ઇમરજન્સી બ્રેક લગાવી અને સિંહનો જીવ બચાવ્યા માટે ટ્રેનને 50 મીટર આગળ અટકાવી દીધી. સિંહે ટ્રેક ઓળંગ્યા બાદ ફોરેસ્ટ ગાર્ડે સ્થળ તપાસ કરી ટ્રેનને તેના રસ્તે રવાના કર્યું હતું. આ માહિતી લોકો પાયલોટે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને આપી હતી.માહિતી મળતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર દ્વારા લોકો પાઇલટને તેમના પ્રશંસનીય કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.