બાલાસિનોર યુવા ક્ષત્રિય સેના અને સર્વ સમાજ સેના દ્વારા એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

બાલાસિનોર યુવા ક્ષત્રિય સેના અને સર્વ સમાજ સેના દ્વારા એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું


બાલાસિનોર મામલતદાર સાહેબને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું

બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

બાલાસિનોરમાં ટ્રાફિક સમસ્યા કાયમી દૂર થાય તેવી લોકમાંગ

યુવા ક્ષત્રિય સેના અને સર્વે સમાજ સેના મહીસાગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ સોલંકી દ્રારા
બાલાસિનોર એસ ટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવ્યું છે કે બાલાસિનોર થી
ઓથવાડ તેમજ કપડવંજ જે એસટી ના રૂટ માનવ હોટલ થઈને જાય છે તે બસ ડેપોથી વાયા રાજપુરી દરવાજા સલીયાવડી દરવાજા તળાવ દરવાજા થઇને બસ ચાલુ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું
એસ ટી ના ડેપો મેનેજર નું કહેવું છે કે ત્યાં ટ્રાફિક ના કારણે ત્યાંથી બસ પસાર થતી નથી તો આપ ટ્રાફિક હટાવો ત્યારે બસ ચાલુ થશે તે બાબતે હું પોલીસ સ્ટેશન મા ટ્રાફિક હટાવવા બાબતે અરજી આપી, બાલાસિનોર મા આવેલ એમ એન્ડ ઓ, શ્રેયસ, પી. વી. વિદ્યાલય, મોર્ડન, નિર્મલ, નવગુજરાત, અંજુમન કોલેજ ના વિદ્યાર્થીઓ બહુજ તકલીફ પડે છે અને તેઓ નો સમય બરબાદ થાય છે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સાયકલ, બાયક, પ્રાવેટ વિહિકલ નો ઉપયોગ કરીને શાળા -કોલેજ મા આવે છે, જો 7 દિવસ મા બસ નહિ ચાલુ થાય તો ગાંધીચીધ્યા ઉગ્ર આંદોલન કરશુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.