વિરપુર તાલુકાના ડેભારી માર્ગ પર RCC પુલ પર રીલીંગ ન હોવાના કારણે અકસ્માતની ભીતિ... - At This Time

વિરપુર તાલુકાના ડેભારી માર્ગ પર RCC પુલ પર રીલીંગ ન હોવાના કારણે અકસ્માતની ભીતિ…


અકસ્માત અટકાવવા રીલીંગ બનાવવું જરૂરી,વાહનચાલકો.

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ડેભારીથી વિરપુર જવાના માર્ગ પરના આરસીસી પુલ ઉપર રીલીંગ ન હોવાના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ત્યારે મળતી વિગતો અનુસાર ડેભારી થી વિરપુર માર્ગ બે વર્ષ અગાઉ કરોડો રૂપિયા ખર્ચીને નવીન માર્ગ બનાવવામાં આવ્યો છે જે ડેભારી ગામની બહાર નીકળતા આરસીસી અંદાજીત ૫૦ મીટરનો નાનો પુલ બનાવવામાં આવ્યો છે જે પુલને અડીને ડીવાઈડર મુકવામાં આવ્યું નથી જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે આર.સી.સી. પુલ ઉપર રેલિંગનો અભાવે અવાર નવાર પસાર થતાં વાહન ચાલકોમાં બ્રિજથી નીચે ૩૦ થી ૫૦ ફૂંટ ઊંડા ખાડામાં ખાબકી જવાનો ભય સેવાઇ રહ્યો છે આ રોડ ઉપર આવેલ આરસીસી પુલ નીચેથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે તેમજ આ પુલ ઉપર થી વાહનો ને અવાર જવર કરવા માટે આર.સી.સી. બ્રિજ બનાવાયો છે પણ છેલ્લા કેટલાય સમય થી આ બ્રિજ ઉપર બંને સાઈડ રેલિંગનો અભાવ હોય સાથે જ આ રોડ ઉપર રાત્રી સમયે અંધારું હોય બ્રિજના ઊંડા ખાઈમાં વાહન પડી જવાનો અને અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે સ્થાનીકો અને રાહદારીઓ દ્વારા અવાર નવાર રજૂઆત તંત્રને કરવામાં આવી છે છતા તંત્ર બેદરકાર બની રહ્યું છે આ રોડ ઉપરથી સંખ્યા બંધ વાહનો સાથે સ્કુલ બસ એસટી બસો સહિત વાહનો પસાર થાય છે અનાયાસે કોઈ અકસ્માત સર્જાયતો તેની જવાબદાર કોણ રહેશે વહેલી તકે આ બ્રિજ ઉપર બંને સાઈડ રેલિંગ નાખવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.