પોરબંદર જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગતો માટે મૌન પાળવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rsefuokngo0pqbhj/" left="-10"]

પોરબંદર જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગતો માટે મૌન પાળવામાં આવ્યું


મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે કલેક્ટર કચેરી ખાતે પ્રાર્થના કરવામાં આવી હતી. કલેક્ટર શ્રી અશોક શર્મા સહિતના અધિકારીઓ તેમજ કલેકટર કચેરીના કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળી દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

આ ઉપરાંત જિલ્લાની તેમજ પોરબંદર ગ્રામ્ય, રાણાવાવ અને કુતિયાણા તાલુકાની વિવિધ કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પણ બે મિનિટનું મૌન પાળી દિવંગતો શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પોરબંદર જિલ્લા સંકલન હેઠળની તમામ કચેરીઓ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]