સ્માઈલ યોજના દાંત ન કાઢો ૨૦૨૬ ના અંત સુધી માં દેશ ભિક્ષાવૃત્તિ થી મુક્ત થઈ જશે જેમ ગંગા સફાઈ થઈ તેમ સેલ્ફ ડિકલેરેશન થી આઠ કરોડ ને અન્ન પુરવઠો આપો નો SC નો આદેશ પણ અમલ ક્યાં (હમ નહિ સુધરેગે) ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ માં પ્રારંભયેલી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન ની ૧૦૮ યોજના અવતારી પુરુષે ક્યારે શરૂ કરી ? આર્દ્રભૂમિ ની સંખ્યા ૭૫ થી વધી ને ૮૦ થઈ તે ગૌરવ ની વાત પણ વર્ષ ૨૦૧૪ થી પ્રારંભયેલ આદર્શ સાંસદ ગ્રામ નું શુ થયું ? ૧૮ મી લોકસભા સામાન્ય ચૂંટણી રાજકીય પાર્ટી ઓ માટે ધુળેટી પહેલા હોળી જ્યારે વફાદાર વિરોધ મરી જાય ત્યારે રાષ્ટ્ર નો આત્મા પણ મરી જાય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rmsvnp7asahcrqtv/" left="-10"]

સ્માઈલ યોજના દાંત ન કાઢો ૨૦૨૬ ના અંત સુધી માં દેશ ભિક્ષાવૃત્તિ થી મુક્ત થઈ જશે જેમ ગંગા સફાઈ થઈ તેમ સેલ્ફ ડિકલેરેશન થી આઠ કરોડ ને અન્ન પુરવઠો આપો નો SC નો આદેશ પણ અમલ ક્યાં (હમ નહિ સુધરેગે) ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ માં પ્રારંભયેલી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન ની ૧૦૮ યોજના અવતારી પુરુષે ક્યારે શરૂ કરી ? આર્દ્રભૂમિ ની સંખ્યા ૭૫ થી વધી ને ૮૦ થઈ તે ગૌરવ ની વાત પણ વર્ષ ૨૦૧૪ થી પ્રારંભયેલ આદર્શ સાંસદ ગ્રામ નું શુ થયું ? ૧૮ મી લોકસભા સામાન્ય ચૂંટણી રાજકીય પાર્ટી ઓ માટે ધુળેટી પહેલા હોળી જ્યારે વફાદાર વિરોધ મરી જાય ત્યારે રાષ્ટ્ર નો આત્મા પણ મરી જાય


સ્માઈલ યોજના દાંત ન કાઢો ૨૦૨૬ ના અંત સુધી માં દેશ ભિક્ષાવૃત્તિ થી મુક્ત થઈ જશે

સેલ્ફ ડિકલેરેશન થી આઠ કરોડ ને અન્ન પુરવઠો આપો નો SC નો આદેશ પણ અમલ ક્યાં (હમ નહિ સુધરેગે)

૨૯ ઓગસ્ટ ૨૦૦૭ માં પ્રારંભયેલી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન ની ૧૦૮ યોજના અવતારી પુરુષે ક્યારે શરૂ કરી ?

આર્દ્રભૂમિ ની સંખ્યા ૭૫ થી વધી ને ૮૦ થઈ તે ગૌરવ ની વાત પણ વર્ષ ૨૦૧૪ થી પ્રારંભયેલ આદર્શ સાંસદ ગ્રામ નું શુ થયું ?

૧૮ મી લોકસભા સામાન્ય ચૂંટણી રાજકીય પાર્ટી ઓ માટે ધુળેટી પહેલા હોળી

જ્યારે વફાદાર વિરોધ મરી જાય ત્યારે રાષ્ટ્ર નો આત્મા પણ મરી જાય

આદર્શ સાંસદ ગ્રામ વર્ષ ૨૦૧૪ ની ૧૧ ઓક્ટોમ્બરે પ્રારંભયેલી આ યોજના નો ઉદ્દેશ પોતા ના મત વિસ્તાર માં ગામ દત્તક લઈ તેને સંપૂર્ણ સુવિધા ઓથી સુસજ્જ લોકસભા અને રાજ્ય સભા ના દરેક સાંસદે વર્ષ ૨૦૧૯ ના માર્ચ સુધી માં ત્રણ હજાર થી પાંચ હજાર ની વસ્તી ધરાવતું પહાડી વિસ્તાર માં પોતા ના ક્ષેત્ર માં આવતું ગામ દત્તક લઈ ઉન્નત કરવાનું હતું રાજ્યસભા અને લોકસભા ના મળી ૮૦૦ ગામ ઉન્નત થવા ના બદલે સાંસદો ઉન્નત થઈ ગયા ૧૫ ઓગસ્ટ ૧૯૯૫ માં તામિલનાડુ થી પ્રારંભયેલી (MDMS) મધ્યાન ભોજન સમગ્ર દેશ ની સરકારી તેમજ ગ્રાન્ટ મેળવતી પ્રાથમિક શાળા ઓમાં ધોરણ ૧ થી ૫ ના બાળકો ને ૩૦૦ ગ્રામ કેલેરી ધોરણ ૮ ના ૭૦૦ ગ્રામ કેલેરી પ્રોટીન્સ યુક્ત આહાર ઉપરાંત શાળા ઓમાં હાજરી વધારવા નો ઉજળો ઉદ્દેશ હતો સારું છે કે અવતારી પુરુષ આ યોજના પોતે નથી શરૂ કરાવી
રાજકીય પાર્ટી ઓમાં ધુળેટી પહેલા હોળી ભાજપે વડોદરા બનાસકાંઠા સાબરકાંઠા ના ઉમેદવારો ચૂંટણી લડવા ની ના પાડે કે ઉમેદવાર બદલવા પડે રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસ ના ઉમેદવાર ચૂંટણી લડવા તૈયાર ન થાય એ હોળી નહિ તો શું ? કાગડો હંસ ની ચાલ ચાલી શકે ખરો લોકસભા ના ઉમેદવારો ના વિસ્તાર બદલવા નું કારણ શું ? લોકો ઓળખી ગયા હશે ? સ્થાનિક કાર્યકરો એ વર્ષો સુધી સ્થાનિક પ્રશ્ને રજૂઆતો કરી હોય પાર્ટી ઓ માટે મહેનત કરી હોય આર્થિક માનસિક શારીરિક પ્રદાન આપ્યું હોય તેનું શું ? સ્મારક કે યોજના ઓના નામ જેમ ઉમેદવારો ના વિસ્તારો પણ બદલી દેવા ની નીતિ દેખાડો કરવા ચૂંટણી પહેલા લેવાતા સેન્સ એક નાટક
કેન્દ્ર ની મનમોહનસિંહ ની સરકાર માં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન ની રાજ્ય સરકાર ના સંચાલન હેઠળ ની 108 એમ્બ્યુલન્સ સેવા નો પ્રારંભ ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ માં દર્દી ઓને પ્રિ-હોસ્પિટલ ઇમર્જન્સી ટ્રાન્સપોર્ટેશન પુરી પડવા. કોલ એટેન્ડ ના શહેરી વિસ્તાર માં ૧૪ મિનિટ અને ગ્રામ્ય ૨૪ મિનિટ માં સારવાર પહોંચડતી આ યોજના અવતારી પુરુષ ની દેન છે ? ભારતીય આર્દ્રભૂમિ રામસર સ્થળો ની યાદી માં સામેલ રામસર કન્વેન્શન આંતરરાષ્ટ્રીય સંધિ છે ૨ ફેબ્રુઆરી ૧૯૭૧ માં ઈરાની શહેર રામસર માં અપનાવાઈ હતી ૧ ફેબ્રુઆરી ૧૯૮૨ માં ભારત માં લાગુ કરાઈ આંતરરાષ્ટ્રીય મહત્વ ની આર્દ્રભૂમિ ઓને રામસર સ્થળ ઘોષિત કરાય છે પાંચ નવી આર્દ્રભૂમિ ઓનો સમાવેશ ભારત માં રામસર સ્થળ અંતર્ગત કરતા અવનારું કુલ ક્ષેત્રફળ ૧.૩૩ મિલિયન હેકટર ૧૩.૩૦ લાખ હેકટર છે હાલ ભારત નું સૌથી નાનું આર્દ્રભૂમિ તામિલનાડુ વેમ્બન્નૂર કોમ્પલેક્ષ કેવલાદેવ રાષ્ટ્રીય ઉધાન રાજસ્થાન અને ચિલ્કા સરોવર ઓડિશા બંને ૧૯૮૧ મોન્ટેક્ષ રેકોર્ડ માં સામેલ આર્દ્રભૂમિ લોકટક સરોવર મણિપુર આર્દ્રભૂમિ એટલે એવો ભાગ કે જે કાયમ પારીસ્થિતિક કોઈ પણ ઋતુ માં જળ સંતૃપ્ત જળમગ્ન હોય છે અત્યાર સુધી માં ૭૫ સ્થળો માંથી વધી ૮૦ રામસર સ્થળો સાઇટ્સ તરીકે નોમિનેટ થયા ૨ ફેબ્રુઆરી એ વિશ્વ આર્દ્રભૂમિ દીને
વન અને જળ વાયુ પરિવર્તન મંત્રી યાદવે ઘોષણા કરી હતી સુપ્રીમ કોર્ટ ગમે તેવી ઝાટકણી ભલે કાંઢે પણ હમ નહીં સુધરેગે KYC ના નામે અખેડા ઉભા કરવાનું બંધ કરો ગરીબો ને બે મહિના ની અંદર રેશન કાર્ડ આપો વિવિધ રાજ્ય ના કુલ મળી બિન સંગઠિત ક્ષેત્ર ના ૮ કરોડ લોકો ને રેશન કાર્ડ અને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ના તમામ લાભો આપો વર્ષ ૨૦૨૧ થી વગર રેશનકાર્ડ પરિવારો ને સેલ્ફ ડીકલેરેશન ના આધારે જ પુરવઠો આપો નો આદેશ પણ અમલ ક્યાં કરવો છે ? મેળા ઉત્સવ યાત્રા માંથી ઉચ્ચા આવે તો પ્રજા નું વિચારે ને ? દેશ માં આઠ કરોડ લોકો ને રેશનકાર્ડ ન હોય તો એક કાર્ડ ની જન સંખ્યા ૫ હોય તો ૮ કરોડ × ૫ = ૪૦ કરોડ + ૮૦ કરોડ ને અન્ન પુરવઠો સરકાર આપે છે તે ગાઈ વગાડી ને જગ જાહેર છે ૪૦ કરોડ રેશન કાર્ડ વગર ના ગરીબ છે ૮૦ કરોડ ને સરકાર અનાજ આપે છે આમ બંને સંખ્યા મળી કુલ સંખ્યા ૧૨૦ કરોડ થાય તો દેશ માં સમૃદ્ધ પરિવારો કોણ ? કેગ ના અહેવાલ માં ગમે એટલા પારા ઓ નીતિ ઓ નિયમો પરિપત્રો ઠરાવો ના ઉદરણો સાથે ટકોર કરાય પણ પાળવી હોય તો ને ? જે રસ્તો બાંધવા નો હોય પૂરો થયો ન હોય તેનું લોકાર્પણ ? જેની જરૂર ન હોય માત્ર એજન્સી ના લાભ માં જ ટેન્ડર ? સમય મર્યાદા લિમિટેશન નો ભંગ સંપાદન થયેલ જમીન નો હેતુ લક્ષી ઉપીયીગ પહેલા પોલિસી અને સરકાર કે યોજના બદલાઈ જવી આતે કેવો રાષ્ટ્રવાદ ? (લોકો ને શાંત અને કહ્યાગરા રાખવા ચતુરાઈ ભર્યો રસ્તો સ્વીકારી અભિપ્રાય નું વર્તુળ મર્યાદિત અને ચર્ચા જીવંત થવા દેવી) સદ્ધરતા નું ચિત્ર ગમે તેવું આંકો પણ ગેર વહીવટ એ ગેરવહીવટ છે દેશ ની જનતા જે કાયદા નીતિ ઓ વિશે અવગત ન હોય તે બિલ બહુમતી ના જોરે પાસ થઈ જાય પણ તેના અનર્થ પરિણામો આવનારી પેઢી ઓએ યુગોયુગાતર ભોગવવા પડે ઇલેકટ્રોરલ બોન્ડ અંતે દેશ ની સર્વોચ્ચ ન્યાયાલયે ગેર બંધારણીય ઠેરવ્યા આટ આટલી ઝાટકણી પછી પણ ઘડો નથી લેવાતો એનો મતલબ હમ નહિ સુધરેગે અત્યારે કરકસર ની તો વાત ક્યાં રહી સરકારી ખર્ચે વિજ્ઞાપન પર ડે કરોડો ના ખર્ચે ઉત્સવ રેલી યાત્રા ઓ માત્ર સરકાર ની સિદ્ધ ઓ ગાવા માટે જ લાભાવિત વર્ગ સુધી યોજના પહોંચે તેની વ્યાપક અસર થવી જોઈ એ લોકો ને દેખાવી જોઈ એ પણ આતો કાગ નો વાધ વાસ્તવ માં આવું કાંઈ થયુ જ ન હોય તો કાગળ નો વાધ દોડાવવો જ પડે ને ? દેશ માંથી વર્ષે દહાડે કેટલું સ્કીલ યુવાધન વિદેશ જાય છે ? શું કામ ? કદર નથી એટલે
સ્માઈલ યોજના ૨૦૨૬ સુધી માં દેશ ના ધાર્મિક.ઐતિહાસિક અને પર્યટક સ્થળો ઉપર ભિક્ષુક પુનવર્સન કરવા ૩૬૫ કરોડ ની જોગવાઈ આશરો કૌશલ્ય શિક્ષણ જેવા પ્રદાન થી ભિક્ષાવૃત્તિ મુક્ત દેશ બનશે આતો અમસ્તું ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન વર્ષ ૨૦૨૪ માં મામુલી ૫.૨ % બેરોજગારી દર વધશે BCCI બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન્ડિયા ના સચિવ જય શાહ ની મુદત ત્રીજા વખત સર્વાનુમતે વધારાય ૨૮ વર્ષ બાદ ભારત માં ૭૧ મો મિસ વર્લ્ડ બ્યુટી પેજન્ટ યોજાશે આપણે ત્યાં પરંપરા બનાવી દેવાય છે ભ્રષ્ટાચારી ઓ જેલ જાય તો પત્ની ઓને પદ આપવાનો રિવાજ લાલુ એ રાબડી દેવી અને હવે કેજરીવાલ સુનિતા ને મુખ્ય મંત્રી બનાવે તો નવાઈ નહિ

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]