વડોદરામાં 16 ઓગસ્ટે તિરંગો પરત આપો અને રિફંડ લઇ જાવ , આ ઝંડાઓને કાશ્મીર બોર્ડર પર ફરકાવીશું. - At This Time

વડોદરામાં 16 ઓગસ્ટે તિરંગો પરત આપો અને રિફંડ લઇ જાવ , આ ઝંડાઓને કાશ્મીર બોર્ડર પર ફરકાવીશું.


દેશભરમાં ઘર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે , ત્યારે વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીએ લોકોએ ખરીદેલા તિરંગાઓને પરત લઈને રિફંડ આપવાની જાહેરાત કરી છે . આમ આદમી પાર્ટીની જાહેરાત પ્રમાણે 16 ઓગસ્ટે તિરંગો પરત આપો અને રિફંડ લઇ જાવ , આ ઝંડાઓને કાશ્મીર બોર્ડર પર ફરકાવીશું . દેશભરમાં ઘર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે , ત્યારે વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટીએ લોકોએ ખરીદેલા તિરંગાઓને પરત લઈને રિફંડ આપવાની જાહેરાત કરી છે . આમ આદમી પાર્ટીની જાહેરાત પ્રમાણે 16 ઓગસ્ટે તિરંગો પરત આપો અને રિફંડ લઇ જાવ , આ ઝંડાઓને કાશ્મીર બોર્ડર પર ફરકાવીશું . રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે તે માટેની પહેલ આમ આદમી પાર્ટીના નેતા સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે , આખા દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ યોજાઇ રહ્યો છે . ત્યારે લોકો પોતાના ઘરની બહાર તિરંગો ફરકાવી રહ્યા છે . જેથી 15 ઓગસ્ટ બાદ પણ રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે તે આમ આદમી પાર્ટીએ પહેલ કરી રહી છે . વડોદરા શહેરમાં જે લોકોએ પૈસા ખર્ચીને તિરંગા લીધા છે અને તેને ફરકાવ્યા બાદ તેઓ સાચવી ન શકે તો 16 ઓગસ્ટે તેને અમે પરત લઇશું અને તેની સામે રિફંડ પણ આપીશું . હાલ આ અભિયાન વડોદરા શહેર પુરતું છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.