ગણેશ વિસર્જન યાત્રામાં પથ્થરમારો. - At This Time

ગણેશ વિસર્જન યાત્રામાં પથ્થરમારો.


વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારો થયો હોવાની વિગતો સામે આવી છે. મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવને પગલે મંજુસર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને કંટ્રોલમાં લીધી હતીઆજે ગણેશોત્સવનો અંતિમ દિવસ છે ત્યારે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી બાદ આજે ઠેર-ઠેર ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વડોદરાના મંજુસર ગામમાં ગણેશ વિસર્જનની યાત્રા નીકળી હતી.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.