મોરબી, દ્વારકા રૂટની ST બસ રૈયા રોડથી જશે, રૂ.6 સુધીનો ભાડા વધારો - At This Time

મોરબી, દ્વારકા રૂટની ST બસ રૈયા રોડથી જશે, રૂ.6 સુધીનો ભાડા વધારો


સાંઢિયા પુલ પરથી વાહનો બંધ કરાતા બસે 4 કિ.મી. ફરીને જવું પડશે

શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલની મરમ્મતને લઈને હાલમાં ભારે વાહનો માટે અવરજવર બંધ કરવામાં આવી છે ત્યારે આ રૂટ ઉપરથી પસાર થતી મોરબી, ભુજ, જામનગર અને દ્વારકા રૂટની એસ.ટી બસ હવે રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ થઇને જે-તે રૂટ પર જશે. રૂટ બદલવાથી એસ.ટી. બસને ચાર કિલોમીટર ફરીને શહેરની બહાર નીકળવું પડશે.

કિલોમીટર વધી જવાને કારણે એસ.ટી. તંત્રએ આ જુદી જુદી રૂટની બસના ભાડામાં પણ રૂ. 6 સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટથી આ રૂટ ઉપર દરરોજ અંદાજિત 70થી વધુ બસને આ બદલાયેલો રૂટ અસર કરશે તેમ એસ.ટી. નિગમ રાજકોટના વિભાગીય નિયામકે જણાવ્યું હતું. નવો હુકમ ન થાય ત્યાં સુધી આ મુજબ વ્યવસ્થા રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.