શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ થાનગઢ માં ત્રિવિત કાર્યક્રમ - At This Time

શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ થાનગઢ માં ત્રિવિત કાર્યક્રમ


યોજાઈ ગયો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન જુદી જુદી પ્રતિયોગીતામાં તાલુકા,જિલ્લા અને રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ તેમનું સન્માન. શાળાના શિક્ષકોએ વિભિન્ન ક્ષેત્રોમાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમનું સન્માન.ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ, તથા શાળાને દાન આપનાર દાનવીર હીરાભાઈ મીર (ભરવાડ)નું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ સુરેન્દ્રનગર જિલ્લાના Deo શ્રી ઓઝા સાહેબ, થાનગઢ પી.આઈ સાહેબ,નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખશ્રી વિજયભાઈ ભગત. દાનવીર શ્રી હીરાભાઈ મીર, ગામના અગ્રણી શ્રી બકુલસિંહ રાણા પ્રદ્યુમનસિંહ રાણા, ટીડીઓ બેન શ્રી, તથા અન્ય આમંત્રિત મહેમાનશ્રી ઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થી ની બહેનો અને ભાઈઓ દ્વારા પ્રાર્થના.સ્વાગતગીત,મતદાન જાગૃતિ દર્શાવાતું નાટક,તથા વિદાય વક્તવ્ય.રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમને અંતે પદ્મશ્રી શાહબુદ્દીન સાહેબ ,DEOશ્રી ઓઝા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો.કાર્યક્રમ ને અંતે આચાર્યશ્રી પી.એમ. ઝાલા સાહેબ દ્વારા તમામ મહેમાનો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળાના સ્ટાફે જહે મત ઉઠાવી હતી.

રિપોર્ટ જયેશભાઇ મોરી થાનગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.