જન-ધન ખાતાઓમાં રૂ. 1.71 લાખ કરોડની થાપણ જમા, 8.13 કરોડ ખાતાં નિષ્કિય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pmjdy-nearly-81-38-million-jan-dhan-accounts-are-inoperative-says-govt/" left="-10"]

જન-ધન ખાતાઓમાં રૂ. 1.71 લાખ કરોડની થાપણ જમા, 8.13 કરોડ ખાતાં નિષ્કિય


નવી દિલ્હી : પ્રધાનમંત્રી જન-ધન યોજના (પીએમજેડીવાય) હેઠળ બેન્કમાં ખોલવામાં આવેલા કુલ ખાતામાંથી 8.13 લાખ ખાતાઓ નિષ્ક્રિય છે. ટકાવારીની રીતે તે કુલ જન-ધન ખાતાના 17.65 ટકા બરાબર છે.વર્ષ 2014માં શરૂ કરાયેલી જન-ધન ખાતા વિશે સંસદમાં માહિતી આપતા રાજ્યકક્ષાના નાણા મંત્રી ડો. ભગવત કરાડે જણાવ્યુ કે, સક્રિય જન-ધન ખાતાની ટકાવારી માર્ચ 2017માં 60.38 ટકા હતી જે વધીને જૂન 2022માં 82.35 ટકાએ પહોંચી છે. તો આ સમયગાળા દરમિયાન જન-ધન ખાતામાં જમા થયેલી થાપણો પણ રૂ. 62,972 કરોડથી વધીને રૂ. 1,69,879 કરોડે પહોંચી છે. તેમણે ઉમેર્યુ કે, ડિસેમ્બર 2019 સુધી ખોલવામાં આવેલા જન-ધન ખાતાઓની કુલ સંખ્યા 37.76 કરોડ હતી, જેમાંથી 6.88 કરોડ ખાતા નિષ્ક્રિય હતા.અલબત્ત, પીએમ જન-ધન યોજના પોર્ટલના આંકડા દર્શાવે છે કે 27 જુલાઈ 2022 સુધીમાં, 46.11 કરોડ લાભાર્થીઓ આ યોજના હેઠળ બેંક ખાતા ધરાવે છે અને તેમાં રૂ. 1,71,616.70 કરોડનું બેલેન્સ છે. કુલ 46.11 કરોડ જન-ધન ખાતામાંથી 30.78 કરોડ ખાતા ગ્રામીણ અને 15.33 કરોડ ખાતા શહેરી વિસ્તારમાં હતા. ઉપરાંત કુલ જન-ધન ખાતામાંથી 25.64 કરોડ ખાતા મહિલાઓના છે  રિઝર્વ બેન્કના નિયમ અનુસાર જો બે વર્ષ સુધી કોઇ બેન્ક ખાતામાં લેવડ-દેવડ ન કરવામાં આવે તો તેને નિષ્ક્રિય ખાતું માનવામાં આવે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]