જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ફ્રી આયુર્વેદિક કેમ્પ યોજાયો...... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ફ્રી આયુર્વેદિક કેમ્પ યોજાયો……


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ફ્રી આયુર્વેદિક કેમ્પ યોજાયો......
હિંમતનગરમાં કાંકણોલ રોડ પર આવેલા મહાકાળી મંદિરમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે ફ્રી આર્યુવેદિક નિદાન કેમ્પ યોજાયો. જેમાં 150 થી વધારે વ્યક્તિઓએ લાભ લીધો. વેદાંત આયુર્વેદ ના ડો.સતિષભાઈ પટેલ તથા તેમના સ્ટાફ મિત્રોએ સેવા આપી. મહાકાળી મંદિરના પ્રમુખ પ્રવિણસિંહ વિહોલ તથા અમૃતભાઈ પટેલ, લક્ષ્મણભાઈ પટેલ, ભરતભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ રાવલ, કુમુદભાઈ સુથાર વગેરે ટ્રસ્ટીઓએ હાજર રહી સુંદર સાથ સહકાર આપ્યો. જાયન્ટ્સ હિંમતનગર સહિયર ના પ્રમુખ સોનલબેન મહેતા, મંત્રી રાજશ્રીબેન ત્રિવેદી તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ગીતાબેન ભટ્ટ અને રેખાબેન પટેલ એ સેવા આપી. આ ઉપરાંત મોટી સંખ્યામાં સહિયર બહેનો હાજર રહી અને સાથ સહકાર આપ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.