ઉમરાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે - At This Time

ઉમરાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે


*ઉમરાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે*

રાજ્ય સરકાર દ્વારા આયોજીત ઉમરાળા તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭/૧૨/૨૦૨૩ નાં રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી,ઉમરાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે આથી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૦/૧૨/૨૦૨૩ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવેલ છે પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદાર ઉમરાળાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે જે પ્રશ્નો અંગે કોર્ટ કેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજુઆત કરી શકાશે સામુહિક રજુઆત કરી શકાશે નહિ ગ્રામ્ય કે તાલુકાનાં પ્રશ્ન હોય તે તા.૧૦/૧૨/૨૦૨૩ સુધીમાં મામલતદારશ્રી, ઉમરાળાને રજુ કરવા યાદીમાં જણાવાયું છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.