બોટાદ ના સ્વામિનારાયણ ગુરુકુળમાં યોજાયો મનકી બાત કાર્યક્રમ - At This Time

બોટાદ ના સ્વામિનારાયણ ગુરુકુળમાં યોજાયો મનકી બાત કાર્યક્રમ


બોટાદ ના સ્વામિનારાયણ ગુરુકુળમાં યોજાયો મનકી બાત કાર્યક્રમ

સ્વામિનારાયણ ગુરુકુળમાં યોજાયો મનકી બાત કાર્યક્રમ.
તારીખ 31/07/2022 ને રવિવારે ગઢડારોડ પર આવેલા શ્રીસ્વામીનારાયણ ગુરુફૂલ ખાતે માં. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો મનકીબાત કાર્યક્રમ તથા મંડલ કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ સાવલિયા સ્વાગત પ્રવચન બાદ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળ ઉપાધ્યક્ષ હરેશભાઇ પીઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રીસૌરભભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખુભાઇ વાઘેલા, બોટાદ વિધાનસભા સીટના પ્રભારી દિલીપભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્યો, જિલ્લા અને દરેક મોર્ચા ના હોદ્દેદારો તથા મંડળના હોદ્દેદારો હાજર રહ્યા હતા. કાર્યક્રમ ની આભારવિધિ મહામંત્રી જગદીશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.