બિલાસપુર મંડળ પર ઇન્ટરલોકિંગના કાર્યને કારણે અમદાવાદથી દોડતી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/olrxadtjul5r88vc/" left="-10"]

બિલાસપુર મંડળ પર ઇન્ટરલોકિંગના કાર્યને કારણે અમદાવાદથી દોડતી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.


દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર મંડળના રાયગઢ-ઝારસુગુડા સેક્શનના ઈબ સ્ટેશન પર ચોથી લાઇન કનેક્ટિવિટી પૂરી પાડવા માટે નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ મંડળથી પસાર દોડતી/ પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે જેની વિગતો નીચે મુજબ છે,

રદ કરાયેલી ટ્રેનો ની તારીખ અને ટ્રેન નંબર

27 સપ્ટેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 22829 ભુજ-શાલીમાર એક્સપ્રેસ

24 સપ્ટેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 22830 શાલીમાર-ભુજ એક્સપ્રેસ

21, 22, 28 અને 29 સપ્ટેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ

23,24,30 સપ્ટેમ્બર અને 01 ઓક્ટોબર 2022 ના રોજ ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ

25 સપ્ટેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ

27 સપ્ટેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસ

23મી સપ્ટેમ્બર 2022ના રોજ ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી એક્સપ્રેસ

25 સપ્ટેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 12950 સાંતરાગાછી - પોરબંદર એક્સપ્રેસ

ટ્રેનોના પરિચાલન સમય,સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]