ગાંધી નિર્વાણ દિને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ગાંધી નિર્વાણ દિને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ભરૂચ- સોમવાર- પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ બે મિનિટનું મૌન પાડીને પૂજ્ય ગાંધીજી અને દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એ વીર શહીદોની સ્મૃતિમાં પૂજ્ય ગાંધીજીના નિર્વાણ દિને આજે સવારે 11:00 કલાકે કલેટર કચેરીનાં સભાખંડમાં મૌન પાળવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા સાથે જિલ્લાના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓએ પણ બે મિનિટનું મૌન પાડ્યું હતું.
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]