કેશોદ હોમગાર્ડ દળ દ્વારા આવેદનપત્ર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/o0sndirsw0horxcc/" left="-10"]

કેશોદ હોમગાર્ડ દળ દ્વારા આવેદનપત્ર


કેશોદ હોમગાર્ડ દળ દ્વારા મામલતદાર અને ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું

હાલ રાજ્યભરમાં વિવિધ કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવા આવેદનપત્ર અપાઈ રહયાછે અનેક યુનિયન હડતાળ કરી રહયાછે ત્યારે હોમગાર્ડ દળમાં ફરજ બજાવતા જવાનોએ પણ વિવિધ માંગણીઓ સાથે કેશોદ  મામલતદાર અને ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે હાલમાં હોમગાર્ડ દળના જવાનોને દૈનિક 304  રૂપીયા માનદ વેતન આપવામાં આવેછે અને હોમગાર્ડ જવાન એક માસમાં ફક્ત 27 દિવસ ફરજ કરી શકેછે એટલે  હોમગાર્ડ જવાનોને તેમની હાજરી મુજબ દર માસ 8204 માનદ વેતન ચુકવવામાં આવેછે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં હોમગાર્ડ જવાનોને દૈનિક 500થી 800 રૂપીયા માનદ વેતન આપવામાં આવેછે કેટલાક રાજ્યોમાં હોમગાર્ડ જવાનોને ફિક્સ વેતનનો તો કેટલાક રાજ્યોમાં  કાયમી કર્મચારી તરીકે લાભ આપવામાં આવેછે અન્ય રાજ્યની જેમ લાભ આપવામા આવે માનદ વેતનમાં વધારો કરવામાં આવે નિવૃતી વય મર્યાદા વધારવામાં આવે જમવાનું ભથ્થું વધારવામાં આવે સહીતની માંગણીઓ સાથે કેશોદમાં ફરજ બજાવતા હોમગાર્ડ દળ દ્વારા ડે. કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી

કેશોદમાં હોમગાર્ડ દળમાં પચ્ચાસ જેટલા જવાનો ફરજ બજાવેછે જેમણે વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરીછે ત્યારે તેમની રજૂઆત બાબતે ગુજરાત સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારાશે કે કેમ તે જોવાનું રહ્યું 

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]