ઝાલાવાડ પંથકમાં પાચ દિવસ સુધી વરસાદના લીધે કપાસના પાક અને મગફળી પાક ને નુકશાન. - At This Time

ઝાલાવાડ પંથકમાં પાચ દિવસ સુધી વરસાદના લીધે કપાસના પાક અને મગફળી પાક ને નુકશાન.


ભાદરવો ભરપુર થતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો

ઝાલાવાડ પંથકમાં છેલ્લા પાચ દિવસથી ગાજવીજ સાથે વરસાદના લીધે કપાસના પાકને નુકશાન થયુ હોવાનુ નજરે પડી રહ્યુ છે જેમા ઝાલાવાડ પંથકના ધ્રાંગધ્રા, વઢવાણ, મુળી,થાન,ચુડા, સહિતના તાલુકામાં છેલ્લા પાચ દિવસથી ગાજવીજ સાથે વરસાદ ખાબકતા દરોજનો આશરે અડધાથી અઢી ઈંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમા નદી નાળા અને વોંકળા છલકાયા હતા જેના લીધે ખેતરોમા પણ પાણી ભરાયા હતા. આ તરફડતો દ્વારા કપાસના વાવેતર બાદ હવે પ્રથમ વીણી એટલે કે કપાસનો પહેલો ફાલ ઉતારવાનો સમય હોય અને તેવા સમયે જ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાવાની કપાસના પ્રથમ ફાલને નુકશાન થયુ છે અને મગફળીનો તૈયાર થઈ ગયેલો પાક ખેડૂતોના મોઢામાં આવેલો કોડીયો છીનવાઈ ગયો જેથી ખેડુતો માટે ભાદરવનો વરસાદ કપાસના વાવેતરને નુકશાન પહોંચાડતા ધરતીપુત્રોમા ચિંતા પ્રસરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.