મહુવા પત્રકાર એસોસિએશન દ્વારા ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવા મહુવા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

મહુવા પત્રકાર એસોસિએશન દ્વારા ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવા મહુવા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું


આજરોજ પત્રકાર એસોસિએશન દ્વારા ભાવનગર સોમનાથ હાઈ વે પત્રકારો પાસે થી લેવામાં આવતા ટોલ ટેક્સ માથી મુક્તી આપવા મહુવા ના પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભાવનગર સોમનાથ હાઈ વે પર છેલ્લા ઘણા સમય થી ભારેખમ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે જેમાં લોકશાહી ના સાચા પ્રહરી એવા પત્રકારો પણ ટોલ ટેક્સ માથી મુક્તી નથી જયારે ખરેખર એકદમ નજીવા વેતન સાથે સેવા ના ભાવ સાથે સમય ના યોગદાન સાથે સરકાર ના આયોજન, સરકાર ની નીતિ તેમજ સરકાર ની ગરીબલક્ષી યોજના ને લોકો સુધી પહોંચાડવાનું જીવ ના ઝોખમે પત્રકારો રાત દિવસ જોયા વગર પોતાનું પોતાનું યોગદાન આપતા રહ્યા છે. સરકાર શ્રી ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી ને ટોલ ટેક્સ માથી મુક્તી આપે છે તેવીજ રીતે પત્રકારો ને ટોલટેક્સ માથી મુક્તી આપે તેવી રજુઆત સાથે નુ આવેદનપત્ર આજરોજ મહુવાના પ્રાંતઅધિકારી ને આપવામાં આવેલ. જયારે પ્રાંતઅધિકારીશ્રી એ આ વાત સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી સાથે સહકાર આપેલ આ રજૂઆત મા મહુવા ના વિશાળ પત્રકારો જોડાઈ ને આવેદન પત્ર પાઠવ્યું હતું

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.