સિદ્ધપુરના મહર્ષિ કર્દમ આશ્રમ ખાતે શ્રાવણ માસ અમાસે વિશ્વ કલ્યાણ યજ્ઞ યોજાયો - At This Time

સિદ્ધપુરના મહર્ષિ કર્દમ આશ્રમ ખાતે શ્રાવણ માસ અમાસે વિશ્વ કલ્યાણ યજ્ઞ યોજાયો


સિદ્ધપુરના મહર્ષિ કર્દમ આશ્રમ ખાતે શ્રાવણ માસ અમાસે વિશ્વ કલ્યાણ યજ્ઞ યોજાયો
સિધ્ધપુરમાં બિંદુ સરોવર રોડ પાસે આવેલ પ્રાચીન મહર્ષિ કર્દમઆશ્રમ, કર્દમવાડી, સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ અમાસે દેવાધિદેવ મહાદેવનો વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ યોજાયો હતો. જેમાં યજમાન તરીકે કર્દમ આશ્રમ ના મહંત શ્રી નારાયણ શરણ ગુરૂ અનંતાચાર્યજી મહારાજ તેમજ આચાર્ય કૌશિકભાઈ પંડ્યા અને સહઆચાર્ય જીગ્નેશભાઈ પંડ્યા સાથે વૈદિક મંત્રોઉચ્ચાર સાથે યજ્ઞ માં આહુતિ આપી પૂજાઅર્ચના કરી હતી. જેમાં ભક્તોએ દર્શન અને ભોજન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. મહર્ષિ કર્દમઆશ્રમ માં ભગવાન શ્રી રાધે કૃષ્ણ અને બલરામજી નું અતિ પ્રાચીન મંદિર છે જ્યાં આશ્રમ માં સાધુ સંતો માટે રહેવા ની ઉત્તમ સગવડ સાથેનું પવિત્ર યાત્રાધામછે.
પાટણ બ્યુરો ચીફ :- યોગેશ જોષી


9722785185
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.