મારામારી તેમજ પ્રોહીબીશનના ગુનામાં પાંચ જિલ્લામાંથી હદપાર થયેલ શખ્સને ધાંગધ્રા ખાતેથી ઝડપી પાડ્યો. - At This Time

મારામારી તેમજ પ્રોહીબીશનના ગુનામાં પાંચ જિલ્લામાંથી હદપાર થયેલ શખ્સને ધાંગધ્રા ખાતેથી ઝડપી પાડ્યો.


તા.05/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમ દ્વારા ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મેળવી દાઉદભાઈ મહંમદભાઈ પલેજા ખાલીકા પ્લોટ મોરબી વાળો મ્હે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સાહેબ મોરબીના ઓના હુકમથી છ માસ રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર જિલ્લાની હદ માંથી હદપાર હોય અને મજકુર ઇસમ હાલે ધાંગધ્રા જોગાસર રોડ ખાતે હોય જેથી બાતમી વાડી જગ્યાએ એલસીબીના પીઆઇ વી વી ત્રિવેદી, પીએસઆઇ વી આર જાડેજા,પો.હેડ.કો. હિતેશભાઈ જેસીંગભાઇ શહીદ સમગ્ર ટીમ દ્વારા તપાસ કરતા દાઉદભાઈ મહંમદભાઈ પલેજા જાતે મુ.માન ઉ.40 ખાલી ખાલીકા પ્લોટ બાવા અહેમદ શાહ મસ્જિદની બાજુમાં મોરબી વાળો મળી આવતા ઈસમને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સાહેબ મોરબીનાઓના હદપારીનો ભંગ કરેલ ઈસમને જી.પી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.