રાજકોટમાં મકાનનું ચણતર કામ કરતા બે મજૂરને વીજશોક લાગ્યો, એકનું મોત; એક ઇજાગ્રસ્ત - At This Time

રાજકોટમાં મકાનનું ચણતર કામ કરતા બે મજૂરને વીજશોક લાગ્યો, એકનું મોત; એક ઇજાગ્રસ્ત


રાજકોટમાં અરેરાટી ફેલાઈ જાય તે પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં શહેરના ગુરૂપ્રસાદ ચોક પાસે આવેલા ગોકુલનગર વિસ્તારમાં એક મકાનનું ચણતર કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન મકાન ઉપરથી પસાર થતા વીજ વાયરને સ્પર્શ કરી જતાં કડિયા કામ કરતા મજૂરનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મજૂરને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.