મંદિર પર ધ્વજા ચડાવતી વેળાએ વીજતારને સ્પર્શી જતા યુવકને કાળ ભેટી ગયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mlltxpthp0whkvnb/" left="-10"]

મંદિર પર ધ્વજા ચડાવતી વેળાએ વીજતારને સ્પર્શી જતા યુવકને કાળ ભેટી ગયો


રાજકોટ શહેરના ખોડિયારનગરમાં રહેતા રવીરાજ શિવકુભાઈ સોનારા (ઉ.વ.19) અને લગધીરસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ.45) ગઈકાલે વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિરે હતા ત્યારે વીજશોક લાગતા બન્નેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં રવિરાજનું મૃત્યું નિપજ્યું હતું જયારે લગધીરસિંહને સારવાર માટે વોર્ડમાં દાખલ કરાયા હતાં.

ખોડીયારપરામાં આવેલા મેલડી માતાજીનાં મંદિરે માંડવા અને ધ્વજારોહણનો કાર્યક્રમ હોય ગઈકાલે રવીરાજ મંદિરે ગયા બાદ મંદિરની ઉપર લગાવેલી ધ્વજા કાઢી નવી ધ્વજા ચડાવવા મંદિર ઉપર ચડયો હતો દરમિયાન ધ્વજાનો પાઈપ કાઢી રહ્યો હતો ત્યારે નજીકમાં વૃક્ષ પાસેથી પસાર થતા વીજવાયર સાથે પાઈપ અડી જતા તેને વીજશોક લાગ્યો હતો. આ સમયે નીચે રહેલા લગધીરસિંહ તેને બચાવવા જતા તેને પણ વીજશોક લાગ્યો હતો. બંનેને સિવિલમાં ખસેડાયા હતાં જયાં રવીરાજને જોઈ તપાસી ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જે બાદ સિવિલ ચોકીના સ્થાફે બનાવ અંગે થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળો કરી કાર્યવાહી હાથ ધરી હતી. રવીરાજ બે ભાઇમાં મોટો હતો અને કારખાનામાં મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]