છેલ્લા ત્રણ વર્ષથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા અમદાવાદ ST વિભાગના નિયામકશ્રીની બદલી કરો : પ્રવીણ રામ - At This Time

છેલ્લા ત્રણ વર્ષથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા અમદાવાદ ST વિભાગના નિયામકશ્રીની બદલી કરો : પ્રવીણ રામ


નિયમ મુજબ અધિકારી ની બદલી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન : આપ નેતા પ્રવીણ રામ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ ની સૂચના અનુસાર દરેક સરકારી વિભાગોમાં ત્રણ વર્ષ કે વધારે સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા મહત્વના અધિકારીઓની બદલી કરવાના હુકમો કરવામાં આવે છે અને બીજી તરફ અમુક અધિકારીઓને સરકાર છાવરતી હોય તેવા આક્ષેપ રાજકીય પાર્ટીના નેતા પ્રવીણ રામ લગાવી રહયા છે.
આ અંગે પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અમદાવાદ એસટી વિભાગના વિભાગીય નિયામક જે એન પટેલ ની અન્ય જગ્યાએ બદલી કરવામાં આવતી નથી જે સરકાર માટે ખૂબ ગંભીર બાબત છે નિયમ મુજબ અધિકારીઓની બદલી થવી જોઈએ પણ અહીં સરકારના મનસુબા સામે સવાલ ઉભા થવા જાય છે.હવે સરકાર આ મુદ્દે ગંભીરતા નહીં દાખવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું છે.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.