સરધાર બસ સ્ટેશનમાં બેભાન થયા બાદ જસદણ વેરાવળ ભાડલાના ગોવિંદભાઇનું મોત - At This Time

સરધાર બસ સ્ટેશનમાં બેભાન થયા બાદ જસદણ વેરાવળ ભાડલાના ગોવિંદભાઇનું મોત


સરધાર બસ સ્ટેશનમાં બેભાન થયા બાદ જસદણ વેરાવળ ભાડલાના ગોવિંદભાઇનું મોત

સરધાર બસ સ્ટેશનમાં બેભાન થયા બાદ વેરાવળ ભાડલાના ગોવિંદભાઇનું મોત રાજકોટથી ઘરે જતી વખતે બનાવ: યુવાને રાજકોટમાં દમ તોડયો સરધાર બસ સ્ટેશનમાં વાહનની રાહ જોઇને ઉભેલા વેરાવળ ભાડલાના યુવાનુ બેભાન હાલતમાં મોત નિપજતા પરિાવરમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ જસદણના વેરાવળ-ભાડલાના રહેતા ગોવિંદભાઇ સવશીભાઇ સાબડીયા (ઉવ. ૩૨) ગઇ કાલે રાજકોટ આવ્યા હતા. બાદ રાજકોટથી સરધાર ઉતરી ઘરે જવા માટે બસ સ્ટેશનમાં વાહનની રાહ જોતા હતા. ત્યારે અચાનક બેભાન થઇ જતા કોઇએ ૧૦૮માં જાણ કરતા તેને ૧૦૮ મારફતે સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતક એક ભાઇ અને એક બહેનમાં નાના હતા તે ખેતી કરતા હતા.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.