મોહનપુર ખાતે સન્માન સત્કાર સમારંભ યોજાયો - At This Time

મોહનપુર ખાતે સન્માન સત્કાર સમારંભ યોજાયો


નિવૃત્ત ડીવાયએસપી જે.જે.મેવાડા નિવૃત્ત થતા તેમનો સન્માન સમારંભ મોહનપુર ખાતે યોજવામાં આવ્યો હતો. બૌદ્ધ વંદનાથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. મોહનપુર ગામના વતની જે.જે.મેવાડાને ગ્રામજનો દ્વારા ડીજેના તાલે રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેવાડાને મોમેન્ટો તેમજ ફુલહાર પહેરાવી સન્માનિત કરાયા હતા. સમાજના કુરિવાજો બંધ થાય અને શિક્ષણ તરફ સમાજ ધ્યાન આપે તેઓ મેવાડાએ ઉપસ્થિત સમાજ આગેવાનોને જણાવ્યું હતું. આ યોજાયેલ સમારંભના અધ્યક્ષ તરીકે જે.આર.દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે આર.કે રાઠોડ નિવૃત્ત થતાં કલેકટર એચ.કે.સોલંકી, પ્રમુખ મોડાસીયા પરગણા આર.આર .રોહિત, નિવૃત્ત પ્રિન્સિપાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મોડાસા એચ. અમીન તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.