સાળંગપુર કષ્ટભંજન મંદિરે બરવાળા ગુજરાત પોલીસ દ્વારા નવી લોન્ચ કરાયેલ ઈ એફ આઈ આર એપ્લિકેશનનો જાગૃતિ કેમ્પ યોજાયો તેમાં મોટી સંખ્યામાં લોકોને માહિતી આપી અને પેમ્પ્લેટ વિતરણ કરી જાગૃત કર્યા હતા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lkgqxcvjogal0bui/" left="-10"]

સાળંગપુર કષ્ટભંજન મંદિરે બરવાળા ગુજરાત પોલીસ દ્વારા નવી લોન્ચ કરાયેલ ઈ એફ આઈ આર એપ્લિકેશનનો જાગૃતિ કેમ્પ યોજાયો તેમાં મોટી સંખ્યામાં લોકોને માહિતી આપી અને પેમ્પ્લેટ વિતરણ કરી જાગૃત કર્યા હતા.


બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પરિસરમાં બરવાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ભગીરથસિંહ વાળા તેમજ બરવાળા પોલીસ સ્ટાફ દ્વારા નવી લોન્ચ કરાયેલ ઈ એફ આઈ આર એપ્લિકેશન અંગેનો જાગૃતિ કેમ્પ યોજ્યો હતો, મોટી સંખ્યામાં અહીં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ભાવિક ભક્તો દર્શને આવતા હોય છે તેઓને જાગૃત કરવા અને એપ્લિકેશન અંગેની વિસ્તૃત માહિતી આપવા માટેનો વિશેષ જાગૃતિ કેમ્પ યોજાયો હતો અને મોટી સંખ્યામાં લોકોને ઈ એફ આઈ આર એપ્લીકેશન અંગે માહિતી આપવામાં આવી હતી અને પેમ્પ્લેટ વિતરણ કર્યા હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]