ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ખાતે આજે પંચામૃત મહોત્સવ માં નવચંડી યજ્ઞ યોજાયો - At This Time

ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ખાતે આજે પંચામૃત મહોત્સવ માં નવચંડી યજ્ઞ યોજાયો


ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ખાતે આજે પંચામૃત મહોત્સવ માં નવચંડી યજ્ઞ તેમજ ૧૦૦૮ દીવડાની મહાઆરતી
પણ કરવામાં આવી હતી.

આજે દાદાબાપુ ધામ પચ્છમ ખાતે પંચામૃત મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી છે ત્યારે ફુલોના અતભુત શણગાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના દાદાબાપુ ધામ પચ્છમ ખાતે વીર ભૂષણ ધર્મરક્ષક વિજયસિંહ બાપુની પ્રેરણાથી દાદા બાપુ ધામ સેવક સમુદાય દ્વારા આજ રોજ જગન્નાથપૂરીથી આવેલી ધજા મા મોગલના મંદિર પર મંત્રોચ્ચાર સાથે આરોહિત કરતાની સાથે પંચામૃત મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ મહોત્સવ દરમિયાન મા-બાપની છત્ર છાયા ગુમનાર ૧૧ દીકરીના સમૂહ લગ્ન, નવચંડી યજ્ઞ અને મેગા રક્તદાન શિબિર પણ યોજાયો હતો.. આ ઉપરાંત આજે સાંજે ૧૦૦૮ દીવડાની મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.