બરવાળા જૈન સમાજ દ્વારા વિનામૂલ્યે એકયુપ્રેશર તેમજ એકયુપંક્ચર મેગા કેમ્પ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/l95xexexuo6oq6cy/" left="-10"]

બરવાળા જૈન સમાજ દ્વારા વિનામૂલ્યે એકયુપ્રેશર તેમજ એકયુપંક્ચર મેગા કેમ્પ યોજાયો


જૈન સમાજ આયોજીત મેગા કેમ્પ ત્રણ દિવસ યોજવામાં આવ્યો.

ત્રિદિવસીય મેગા કેમ્પમાં 375 જેટલા દર્દીઓને વિનામૂલ્યે સારવાર કરવામાં આવી

કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર તેમજ દવાઓને સન્માનિત કરાયા

શ્રી બરવાળા જૈન સમાજ દ્વારા એકયુપ્રેશર તેમજ એકયુપંક્ચર મેગા કેમ્પનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.જે કેમ્પ રાધાકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇના સાથ સહયોગ થી નિષ્ણાંત થેરાપિસ્ટ ઓલ્ટરનેટ થેરેપી સેન્ટરના તજજ્ઞ ડોક્ટર દ્વારા મેગા કેમ્પમાં દર્દીઓને સારવાર કરવામાં આવી હતી.

બરવાળા મુકામે શ્રી સ્થાનકવાસી જૈન સંઘની વાડી ખાતે શ્રી બરવાળા જૈન સમાજ દ્વારા તારીખ :- 16-17-18/02/2024 એમ ત્રિદિવસીય એકયુપ્રેશર તેમજ એકયુપંક્ચર મેગા કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું. આ એકયુપ્રેશર તેમજ એકયુપંક્ચર મેગા કેમ્પમાં મુંબઈ થી અનુભવી અને કુશળ થેરાપિસ્ટ દ્વારા કમર, ગરદન, હાથ, પગ કોઈપણ જાતના દુઃખાવા, સ્ત્રીઓને લગતી સમસ્યા, પી.સી.ઓ.ડી., શરદી, ઉધરસ, સાઈનસ, આધાશીશી, અસ્થામા, ગ્લુકોમા, કાન, આંખ, ગળાને લગતી આવી અનેક સમસ્યા અને આવી અનેક રોગ પર એકયુપ્રેશર તેમજ એકયુપંક્ચર પધ્ધતિથી દર્દીઓને સારવાર કરવામાં આવી હતી.આ ત્રિદિવસીય મેગા કેમ્પમાં 375 જેટલા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. આ ત્રિદિવસીય એકયુપ્રેશર તેમજ એકયુપંક્ચર મેગા કેમ્પનું આયોજન શ્રી જૈન સમાજ બરવાળા તેમજ માતૃશ્રી ચંદ્રિકાબેન વ્રજલાલ શાહ પરિવાર (નાવડા),
કિરીટભાઈ વ્રજલાલ બાબરિયા, શરદભાઈ કિરીટભાઈ બાબરિયા પરિવારના પ્રયોજક થી યોજવામાં આવ્યો હતો. આ મેગા કેમ્પમાં મુંબઈના ઓલ્ટરનેટ થેરાપી સેન્ટરના નિષ્ણાંત થેરાપિસ્ટ દ્વારા વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી. આ મેગા કેમ્પમાં અલ્પા વિપુલ શાહ તેમજ કૃપાલી નિરવ શાહ સહિતના થેરાપિસ્ટ ડોક્ટર દ્વારા એકયુપ્રેશર તેમજ એકયુપંક્ચર પધ્ધતિથી દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી.

આ એકયુપ્રેશર તેમજ એકયુપંક્ચર ના ત્રિદિવસીય મેગા કેમ્પ ને સફળ બનાવવા અરવિંદભાઈ કામદાર, જીગ્નેશભાઈ (પૂનાભાઈ) ભંભા સહિતના બરવાળા જૈન સંઘના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

બોક્ષ :- શ્રી બરવાળા જૈન સમાજ તેમજ રાધા કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ દ્વારા એકયુપ્રેશર તેમજ એકયુપંક્ચર મેગા કેમ્પનું ત્રિદિવસીય આયોજન બરવાળા જૈન ઉપાશ્રય ખાતે કરવામાં આવ્યું હતું.જે કેમ્પ રાધાકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇના નિષ્ણાંત થેરાપિસ્ટ ઓલ્ટરનેટ થેરેપી સેન્ટરના તજજ્ઞ ડોક્ટર દ્વારા મેગા કેમ્પમાં વિવિધ પ્રકારના દર્દીઓને સારવાર કરવામાં આવી હતી. આ ત્રિદિવસીય થેરાપિસ્ટ ભવ્ય કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર તેમજ કેમ્પના પ્રયોજન દાતાઓ શ્રી જૈન સમાજ બરવાળા તેમજ માતૃશ્રી ચંદ્રિકાબેન વ્રજલાલ શાહ પરિવાર (નાવડા),
કિરીટભાઈ વ્રજલાલ બાબરિયા, શરદભાઈ કિરીટભાઈ બાબરિયા પરિવારના નું જૈનસંઘ દ્વારા માળા પહેરાવી મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]