વિસાવદર ભા.જ.પ.ના કાર્યકર્તાઓ અયોધ્યા રામલલ્લાના દર્શનાર્થે રવાના - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/j6wjvdepzkwhfdlc/" left="-10"]

વિસાવદર ભા.જ.પ.ના કાર્યકર્તાઓ અયોધ્યા રામલલ્લાના દર્શનાર્થે રવાના


વિસાવદર ભા.જ.પ.ના કાર્યકર્તાઓ અયોધ્યા રામલલ્લાના દર્શનાર્થે રવાના

તા.૧૭-૨ ના રોજ વિસાવદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ ૧૪૫ યુવાનો તથા પીઢ રામ ભક્તો અયોધ્યા મુકામે રામલલ્લાના દર્શનાર્થે સ્પેશિયલ ટ્રેઇન દ્વારા જવા રવાના થયેલ.
વિસાવદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સામાન્ય શૂલ્ક સાથે તમામ વ્યવસ્થા પક્ષ દ્વારા કરવામાં આવેલ. અગાઉ રજીસ્ટ્રેશન થયેલા અને નક્કી કરેલ સમય સારણી મુજબ તમામ દર્શનાર્થીઓ સમયસર આવી પહોંચેલ. બાદ વિસાવદર ગુરુકુળના સ્વામી મુકુંદસ્વામી તથા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા તથા ભાજપના અગ્રણીઓ એ જય શ્રી રામ ધ્વજ ફરકાવી સાથોસાથ શ્રી રામના જય ઘોષ સાથે દર્શનાર્થીઓને અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરાવેલ.
રામ ભક્તોને પ્રસ્થાન કરાવતી વેળાએ ઉપસ્થિત મહાનુભવો જિ.પં.સદસ્ય વિપુલભાઈ કાવાણી, તા.પં. ઉપપ્રમુખ ભરતભાઈ કોટડીયા, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, નરેન્દ્રભાઈ કોટીલા, તા.પં.સદસ્ય કિશોરભાઈ ડોબરીયા તથા હસમુખભાઈ રાબડીયા, હરિભાઈ રીબડીયા, ઘનશ્યામભાઈ ડોબરીયા, હરેશભાઈ સાવલિયા, રમેશભાઈ માંગરોળીયા તેમજ બહોળી સંખ્યામાં ભાજપ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહેલ તેમ ભાજપ અગ્રણી બાબુભાઈ સુખડિયાની અખબાર યાદી જણાવે છે.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]